SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ स्फुरत्तृष्णालताग्रंथि-विषयावर्तदुस्तरः । क्लेशकल्लोलहेलाभिभैरवो भवसागरः ॥८॥ : અર્થ : આ સંસારરૂપ સમુદ્રમાં તૃષ્ણારૂપી લતા-ગ્રંથીઓ સ્કૂરાયમાન થાય છે, વિષયોરૂપ આવતથી તે દુસ્તર છે અને ફ્લેશરૂપ તરંગોની ક્રીડાથી ભયંકર છે. : વિવેચન : આ સંસાર એક મહાસાગર છે. આ મહાસાગરમાં તૃષ્ણાઓની લતાઓ ફેલાયેલી છે. એટલે તરનારાઓ એ લતાઓમાં અટવાઈ જાય છે. તેમના શરીરે એ તૃષ્ણાલતાઓ વીંટળાઈ જાય છે. એવી રીતે આ મહાસાગરમાં ઠેર-ઠેર વિષયોના આવર્ત રહેલા છે. બહુ ખતરનાક હોય છે આ વિષયાવ. જે જીવો એ વિષયાવતમાં ફસાય છે, તેઓ ઊંડા પાણીમાં ડૂબી જાય છે. આ મહાસાગરમાં ફ્લેશોના તરંગો નિરંતર ઉછળ્યા કરે છે. એવા ભયંકર એ તરંગો હોય છે કે જીવાત્માઓ પણ એ તરંગો સાથે ઉછળ્યા કરે છે અને પછડાયા કરે છે ! જાત-જાતના ફ્લેશોમાં જીવો ઉછળ્યા કરે છે અને પછડાયા કરે છે ને ! માટે આ ભવસાગર દુત્તર છે અને ભયંકર છે. આવા ભવસાગરમાં આપણો જીવ અનંતકાળથી ઉછળ્યા કરે છે ને પછડાયા કરે છે. જ્યારે સાગરમાં ઓટ આવે છે ત્યારે જીવો કંઈક શાન્તિ-સુખ અનુભવે છે. એટલે જીવોને થોડું ગમે છે, અને એ વખતે તરી જવા ઇચ્છતા નથી! . ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - तिसना विदुम वल्लिघन, विषय घुमर बहु जोर, भीम भयंकर खेद जल,, भवसागर चिहुं ओर. (વિષય-ઘુમર' એટલે વિષયાવ. ભીમ ભયંકર ખેદ જલએટલે લેશોના ભયંકર તરંગો. ‘તિસના' એટલે તૃષ્ણા.) શાખ્યશતક (GSWAMINARARARARA ૮૯
SR No.005960
Book TitlePio Anubhav Ras Pyala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust
Publication Year1995
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy