Book Title: Pio Anubhav Ras Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust

Previous | Next

Page 97
________________ निःसंगतां पुरस्कृत्य यः साम्यमवलम्बते । परमानन्दजीवातौ योगेऽस्य क्रमते मतिः ॥८५॥ : અર્થ : જે પુરુષ નિઃસંગતાને આગળ કરીને, સામ્યગુણનો આશ્રય કરે છે, તે પુરુષની બુદ્ધિ પરમાનંદને જીવન આપનારી યોગવિદ્યામાં પ્રવેશ કરે છે. ': વિવેચન : પરમાનંદનું જીવન એટલે મોક્ષ. પરમાનંદનું જીવન એટલે મુક્તિ. એ મોક્ષ, એ મુક્તિ મળે છે “યોગ'ની આરાધનાથી, સમતાયોગ'થી. એ સમતાયોગ'ની પ્રાપ્તિ, અધ્યાત્મયોગભાવનાયોગ અને ધ્યાનયોગની પ્રાપ્તિ થયા પછી થાય છે. સમતાયોગ એટલે અવિઘાકલ્પિત ઈષ્ટાનિષ્ટ વસ્તુઓમાં સમ્ય જ્ઞાનથી સમતા રાખવી. અર્થાત્ ઈષ્ટમાં રાગ નહીં, અનિષ્ટમાં દ્વેષ નહીં. પરપદાર્થોની કોઈ અપેક્ષા નહીં. આવો સમાયોગ એ પુરુષને પ્રાપ્ત થાય છે કે જે નિઃસંગ બનીને સામ્યગુણને આત્મસાત્ કરે છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - आगे करी निःसंगता, समता सेवत जेहु, रमे परम आनंदरस, सत्ययोग में तेहु. નિઃસંગ બનવું, સંગરહિત બનવું, એ પહેલી વાત છે. જ્યાં સુધી પદ્રવ્ય-પરપુદ્ગલનો સંગ રહે છે, ત્યાં સુધી સમતાગુણ આવતો નથી. પદ્રવ્યના સંગમાં ઇષ્ટ-અનિષ્ટની કલ્પના રહે જ છે. ઇષ્ટ-અનિષ્ટની કલ્પનામાં રાગ-દ્વેષ આવે જ. એટલે નિઃસંગ બનવું અનિવાર્ય છે. - સામ્યયોગી પરમાનંદનો અનુભવ કરે છે. - સામ્યયોગી આત્માનુભૂતિ કરે છે. - ક્રમશઃ એ શાશ્વત્ પરમાનંદનું જીવન પામે છે. ૮૬ KANGANA RANAGARશામ્યશતક

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130