________________
समंतात् तस्य शोषाय स्वस्थीकृतजलाशयम् । इमं मानससंतोषमगस्तिं श्रय सत्वरम् ॥५१॥
: અર્થ : એનું (લોભરૂપી સમુદ્રનું) સમગ્રતયા શોષણ કરવા માટે જલાશયને (જડાશયને) સ્વસ્થ કરનાર ર્દયી સંતોષરૂપ અગસ્તિ મુનિનો સત્વર આશ્રય કર.
.: વિવેચન : લૌકિક શાસ્ત્રમાં એવી કથા છે કે અગસ્તિ નામના મુનિએ સમુદ્રનું પાન કરીને શોષણ કર્યું હતું !
આકાશમાં અગસ્તિનો તારો ઉગે છે ત્યારે સમુદ્રજળનું શોષણ થાય છે અને બીજાં જલાશયોનાં જળ સ્વચ્છ થઈ જાય છે.
તેવી રીતે લોભ-સમુદ્રનું શોષણ કરવા માટે સંતોષરૂપી અગસ્તિ મુનિનો આશ્રય લેવો જોઈએ. સંતોષ જ લોભસમુદ્રનું શોષણ કરી શકે છે. હૃદયમાં સંતોષને ધારણ કરો. સંતોષને આશ્રય આપો.
જેવી રીતે અગસ્તિનો તારો જળાશયોને સ્વચ્છ કરે છે, તેવી રીતે સંતોષ-અગસ્તિનો તારો જડાશયને સ્વચ્છ કરે છે ! સંતોષ, ભડકુત્સિત લોભ-તૃષ્ણાના આશયને દૂર કરે છે.
સંતોષને દયમાં સ્થિર કરો. કયારે પણ અસંતોષ મનમાં ન પ્રગટે, તે માટે સાવધાન રહો. સંતોષરૂપી અગસ્તિમુનિને દ્ધયમાં કાયમ માટે પ્રતિષ્ઠિત કરી દો. લોભ-સમુદ્રનું શોષણ કરતા જ રહો !
દયના આકાશે સંતોષના અગસ્તિના તારાને ચમકવા દો. હદયના આશયોને-ઇચ્છાઓને સ્વચ્છ રાખશે.
તમારા પુણ્યોદયથી મળેલા સુખના સાધનોમાં સંતોષ માનો. બીજાના ચઢીયાતા પુણ્યોદયથી એને મળેલાં સુખનાં સાધનો જોઈ, એ મેળવવાની કયારેય ઈચ્છા ના કરો. તમને મળેલાં સુખનાં સાધનોનો ધીરે ધીરે ત્યાગ કરવાની ભાવના કેળવો. સાથે સાથે આત્મગુણોને વધુને વધુ મેળવવાના મનોરથ કરતા રહો.
ઓછામાં ઓછા સુખનાં સાધનોમાં સંતોષ-તૃતિ મેળવો. * પર GAAAAAAAAGGA શાશતક