SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ समंतात् तस्य शोषाय स्वस्थीकृतजलाशयम् । इमं मानससंतोषमगस्तिं श्रय सत्वरम् ॥५१॥ : અર્થ : એનું (લોભરૂપી સમુદ્રનું) સમગ્રતયા શોષણ કરવા માટે જલાશયને (જડાશયને) સ્વસ્થ કરનાર ર્દયી સંતોષરૂપ અગસ્તિ મુનિનો સત્વર આશ્રય કર. .: વિવેચન : લૌકિક શાસ્ત્રમાં એવી કથા છે કે અગસ્તિ નામના મુનિએ સમુદ્રનું પાન કરીને શોષણ કર્યું હતું ! આકાશમાં અગસ્તિનો તારો ઉગે છે ત્યારે સમુદ્રજળનું શોષણ થાય છે અને બીજાં જલાશયોનાં જળ સ્વચ્છ થઈ જાય છે. તેવી રીતે લોભ-સમુદ્રનું શોષણ કરવા માટે સંતોષરૂપી અગસ્તિ મુનિનો આશ્રય લેવો જોઈએ. સંતોષ જ લોભસમુદ્રનું શોષણ કરી શકે છે. હૃદયમાં સંતોષને ધારણ કરો. સંતોષને આશ્રય આપો. જેવી રીતે અગસ્તિનો તારો જળાશયોને સ્વચ્છ કરે છે, તેવી રીતે સંતોષ-અગસ્તિનો તારો જડાશયને સ્વચ્છ કરે છે ! સંતોષ, ભડકુત્સિત લોભ-તૃષ્ણાના આશયને દૂર કરે છે. સંતોષને દયમાં સ્થિર કરો. કયારે પણ અસંતોષ મનમાં ન પ્રગટે, તે માટે સાવધાન રહો. સંતોષરૂપી અગસ્તિમુનિને દ્ધયમાં કાયમ માટે પ્રતિષ્ઠિત કરી દો. લોભ-સમુદ્રનું શોષણ કરતા જ રહો ! દયના આકાશે સંતોષના અગસ્તિના તારાને ચમકવા દો. હદયના આશયોને-ઇચ્છાઓને સ્વચ્છ રાખશે. તમારા પુણ્યોદયથી મળેલા સુખના સાધનોમાં સંતોષ માનો. બીજાના ચઢીયાતા પુણ્યોદયથી એને મળેલાં સુખનાં સાધનો જોઈ, એ મેળવવાની કયારેય ઈચ્છા ના કરો. તમને મળેલાં સુખનાં સાધનોનો ધીરે ધીરે ત્યાગ કરવાની ભાવના કેળવો. સાથે સાથે આત્મગુણોને વધુને વધુ મેળવવાના મનોરથ કરતા રહો. ઓછામાં ઓછા સુખનાં સાધનોમાં સંતોષ-તૃતિ મેળવો. * પર GAAAAAAAAGGA શાશતક
SR No.005960
Book TitlePio Anubhav Ras Pyala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust
Publication Year1995
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy