SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ यस्मै समीहसे स्वांत ! वैभवं भवसंभवम् । अनीहयैव तद्वश्यमवश्यं श्रय शंसुखम् ॥५२॥ : અર્થ : હે &ય! જે સુખ માટે તું સંસારના વૈભવો ઈચ્છે છે, તે સુખને અનિચ્છાથી વશ કરીને શમસુખનો આશ્રય કર.” : વિવેચન : તારે કયું સુખ જોઈએ છે? તું કયા સુખની લાલચમાં ભટકી રહ્યો છે? કયા સુખ માટે તારૂં મન આટલું બધું ડામાડોળ બન્યું છે? આ સંસારના ભૌતિક વૈભવો તને સુખી નહીં કરી શકે. તું એ વૈભવોની જો ઇચ્છા કરતો હોય તો એ ઇચ્છા છોડી દે. એ ઇચ્છાને જમીનમાં દાટી દે. જ્યાં સુધી ભૌતિક વૈભવોની લાલચ દૂર નહીં થાય ત્યાં સુધી તને સાચું શમ-સુખ, પ્રશમ-સુખ, ઉપશમ-સુખ નહીં મળે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે : याकी लालच तुं फिरे, चिंते तुं डमडोल, ता लालच मिटि जातघट, प्रकटे सुख रंगरोल. પ્રકટે સુખ રંગરોલ,’ એટલે અંતરંગ શમસુખ પ્રગટે છે. એ ઘટઅંતરમાં પ્રગટ થનારૂં શમસુખ અભુત-અનુપમ હોય છે. એ સુખની તોલે દેવરાજ ઇન્દ્રનું સુખ પણ નથી આવતું. ‘મારે સંસારના ભૌતિક વૈભવો નથી જોઈતા.” આવી અનિચ્છાને વૃઢ કર. વારંવાર વૃઢ કર. તો જ અંતરંગ શમસુખ પ્રગટ થશે. પ્રશમરતિ’ ગ્રંથમાં પ્રશમસુખને પ્રત્યક્ષ મોક્ષસુખ કહેલું છે. પેલું સિદ્ધશિલાવાળું મોક્ષસુખ તો આપણા માટે પરોક્ષ છે, ઘણું ઘણું દૂર છે, જ્યારે પ્રશમસુખ તો આપણી ભીતરમાં જ છે. આપણે એ સુખને પ્રગટ કરી શકીએ છીએ અને એનો અનુભવ કરી શકીએ છીએ. શમસુખ કહો, શામ્યસુખ કહો કે પ્રશમસુખ કહો... એ મોક્ષસુખનો ક્ષણિક અનુભવ છે ! કરવા જેવો છે. શાખ્યશતક NARANAMAARAA પ૩
SR No.005960
Book TitlePio Anubhav Ras Pyala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust
Publication Year1995
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy