________________
अजितैरिन्द्रियैरेषः कषायविजयः कुतः ? तदेतानि जयेद्योगी वैराग्यस्थेमकर्मभिः ॥५३॥ ક અર્થ :
એ કષાયવિજય ઇન્દ્રિયોને જીત્યા વિના કયાંથી થાય? તેથી યોગીએ વૈરાગ્યની સ્થિરતા કરી, ઈન્દ્રિયોને જીતવી જોઈએ.
: વિવેચન : ચારે કષાયોના અપાયો-નુકસાનો બતાવ્યા પછી, એ કષાયો પર વિજય મેળવવાના જુદા જુદા ઉપાયો બતાવ્યા પછી, ગ્રંથકાર કહે છેઃ
એક વાત નિશ્ચિતરૂપે સમજી લો ઇન્દ્રિયોને જીત્યા વિના તમે કષાયોને નહીં જીતી શકો. માટે, જો તમારે કષાયવિજય કરવો જ છે, તો ઇન્દ્રિયો પર, પાંચ ઇન્દ્રિયો પર વિજય મેળવવો પડશે.
ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - होत न विजय कषायको, विनु इन्द्रिय वश कीन, ताते इन्द्रिय वश करे, साधु सहज गुण लीन.
ઇન્દ્રિયો પર વિજય મેળવવો સરળ નથી, ઘણો મુશ્કેલ છે. યોગીમુનિ જ ઇન્દ્રિયવિજય કરી શકે. પાંચ ઇન્દ્રિયોના અસંખ્ય વિષયો પ્રત્યે વૈરાગ્યને દ્રઢ કરવાથી જ વિજયી બની શકાય છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ- આ પાંચ વિષયોના અસંખ્ય પ્રકારો છે. એના પ્રત્યે વૈરાગ્ય આવે તો જ રાગ-દ્વેષ ઘટે, નાશ પામે... અને ઇન્દ્રિયો શાન્ત થાય પછી ક્રોધ વગેરે કષાયો શાન્ત થવાના જ.
ઇન્દ્રિયવિજય મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય છે વિષયવૈરાગ્ય. પાંચે ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે વૈરાગ્ય જોઈએ. વિષયો પ્રત્યે પ્રિય-અપ્રિયની કલ્પનાઓ નહીં કરવાની.
આ વિષય સારો, આ વિષય ખરાબ.... આ વિષય મને ગમે, આ વિષય મને ન ગમે...' આવી પ્રિયાપ્રિયની, ઇષ્ટનિષ્ટની, ગમાઅણગમાની કલ્પનાઓ નહીં કરવાની. મનને એવી કલ્પનાજાળમાંથી મુક્ત કરવાનું. તો જ વૈરાગ્ય આવે તો જ ઇન્દ્રિયવિજય થાય, અને તો જ કષાયવિજય થાય. ૫૪ State Nirikshak શાખ્યશતક