________________
एतानि सौमनस्यस्य द्विषन्ति महतामपि । स्वार्थसंपत्तिनिष्टानि स्पर्धन्ते हंत दुर्जनैः ॥५४॥
: અર્થ : સ્વાર્થ સાધવામાં તત્પર એવી એ ઇન્દ્રિયો, મહા પુરુષોના શ્રેષ્ઠ દયનો પણ દ્વેષ કરે છે. એથી તેઓ ખરેખર, દુર્જનોની સ્પર્ધા કરે છે. (અથતિ દુર્જનોની સાથે હરિફાઈમાં ઉતરે છે.)
: વિવેચનઃ ઇન્દ્રિયો સ્વાર્થ સાધવામાં એવી તત્પર હોય છે કે તે, દુર્જનોને પણ શરમાવે છે. દુર્જનોની સ્વાર્થસાધના કરતાં ઇન્દ્રિયોની સ્વાર્થસાધના વધુ પ્રબળ હોય છે. - શ્રવણેન્દ્રિય પ્રિય શબ્દના શ્રવણમાં, – નેગેન્દ્રિય પ્રિય રૂપના દર્શનમાં, – ધ્રાણેન્દ્રિય પ્રિય ગંધની આઘાણમાં, - રસનેન્દ્રિય પ્રિય રસના આસ્વાદમાં, અને - સ્પર્શનેન્દ્રિય પ્રિય વિષયના સ્પર્શમાં લીન રહે છે. એનાથી ઉત્તમ પુરુષોના હૃદયને કેટલું નુકસાન થાય છે, એની એ પરવા નથી કરતી.
ઇન્દ્રિયો, ઉત્તમ પુરુષોના હૃદયને પણ પોતાના વિષયો તરફ આકર્ષવા માટે લાખ પ્રયત્ન કરે છે. અને આ રીતે એ ઉત્તમ-શ્રેષ્ઠ પવિત્ર હૃદયોને પણ બગાડે છે. - આષાઢાભૂતિ મુનિનાં પવિત્ર દયને કોણે બગાડયું હતું? – નંદીષેણ મુનિના નિર્મળ હૃયને કોણે મલિન કર્યું હતું ? - અરણિક મુનિના સ્વચ્છ મનને કોણે ગંદુ કર્યું હતું ? ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે -
आप काज पर सुख हरे, धरे न कोसुं प्रीति, इन्द्रिय दुर्जनपरिदहे वहे, न धर्म, न नीति. પોતાના સ્વાર્થ માટે એ ઇન્દ્રિયો બીજાનાં સુખ હરી લે છે, અને એ ઇન્દ્રિયો કયારેય કોઈની સગી થતી નથી. એને કોઈ ધર્મ નથી હોતો કે કોઈ નીતિ નથી હોતી. એ દુર્જનોમાં પણ દુર્જન છે !
શાખ્યશતક SARAGAR MANINAGAR
પપ