________________
यद्वामी पिशुनाः कुर्युरनार्यमिह जन्मनि ।' इन्द्रियाणि तु दुर्वृत्ता, न्यमुत्रापि प्रकुर्वते ॥५५॥
: અર્થ : અથવા, પેલા દુર્જનો તો આ જન્મમાં જ અનર્થ કરે છે, જ્યારે દુષ્ટ આચરણવાળી ઇન્દ્રિયો તો આ જન્મમાં અને પરલોકમાં પણ અનર્થકારી છે..
.: વિવેચન : દુર્જનો કરતાં ઇન્દ્રિયો કેમ વધુ અનર્થકારી છે, એ વાત ગ્રંથકાર બતાવે છે.
દુર્જનો તો વર્તમાન જીવનમાં જ બીજા લોકોને દુઃખ આપે છે, ત્રાસ આપે છે, જ્યારે આ ઇન્દ્રિયો તો વર્તમાન જીવનમાં અને પારલૌકિક જીવનમાં પણ દુઃખ આપનારી છે.
આ ઇન્દ્રિયોની પરવશતાથી જીવ પાપાચરણ કરવા પ્રેરાય છે. એ પાપાચરણના કારણે એ વર્તમાન જીવનમાં અપયશ આદિ પામે છે અને પરલોકમાં દુર્ગતિનાં દુઃખો પામે છે. – શ્રમણ ભગવાન મહાવીરના કાનમાં ખીલા કેમ ઠોકાણા હતા?
પૂર્વજન્મમાં પ્રિય શબ્દ-સંગીતના રસના કારણે નોકરના કાનમાં
ગરમ-ગરમ સીસુ રેડાવ્યું હતું ! - દ્રૌપદીને પાંચ પતિ કેમ કરવા પડ્યા? પૂર્વજન્મમાં સાધ્વીના
ભવમાં આંખોથી વેશ્યાનો વિલાસ જોયો હતો અને ગમ્યો હતો! - મથુરાના મંગુ આચાર્યને ગટરના યક્ષનો જન્મ કેમ મળ્યો? કઈ
ઇન્દ્રિયના પાપે? રસનેન્દ્રિયના જ પાપે.
આવા તો અનેક શાસ્ત્રીય દ્રષ્ટાંતો છે. ઈન્દ્રિયોની પરવશતા જીવને ઉભય લોકમાં દુઃખી કરે છે.
માટે ઇન્દ્રિયો પર વિજય મેળવવો અતિ આવશ્યક છે. કષાયોને તો ઇન્દ્રિયો ઉત્તેજિત કરે જ છે, સાથે સાથે જીવ પાસે અનેક પાપ કરાવે છે. એ પાપો અનેક જન્મો સુધી જીવને દુઃખ આપ્યા કરે છે, માટે ઈન્દ્રિયોના ઉપર વિજય મેળવવા પ્રયત્ન કરો. પs SAN GAMAN શામશતક