________________
भोगिनो द्रग्विषाः स्पष्टं दशा स्पृष्टं दहंत्यहो । स्मृत्यापि विषयाः पापाः दंदह्यन्ते च देहिनः ॥५६॥
: અર્થ : દૃષ્ટિવિષ' જાતના સર્વે જેને દૃષ્ટિથી સ્પર્શ કરે તે બળી મરે છે પરંતુ પાપી વિષયો તો તેમના સ્મરણ કરવા માત્રથી જીવોને બાળી નાંખે છે!
: વિવેચન : પાંચ ઇન્દ્રિયોના વિષયો, દ્રષ્ટિવિષ સર્પ કરતાં ય વધારે ભયંકર છે. દ્રષ્ટિવિષ સર્પોની દ્રષ્ટિમાં - આંખોમાં ઝેર રહેલું હોય છે. એ સર્પો, જે જીવો પર દૃષ્ટિ નાંખે, જે વૃક્ષો પર, જે પશુ-પક્ષી પર દૃષ્ટિ નાંખે. તે બળીને રાખ થઈ જાય છે.
જ્યારે આ ઇન્દ્રિયોના વિષયોનું જે જીવ સ્મરણ કરે છે, તેને આ વિષયો બાળી નાખે છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે : नयनफरस जनु तनु लभे, दहे द्रष्टिविष साप, तिनसुं . भी पापी विषय, सुमरे करे संताप. પાંચ ઇન્દ્રિયોના વિષયો સાથે મનમાં પણ પ્રેમ કરવાનો નથી, મનથી પણ એનો ભોગ કરવાનો નથી. અર્થાત્ માનસિક રીતે પણ વૈષયિક સુખોના ભોગોપભોગની કલ્પનાઓ કરવા જેવી નથી. મનથી પણ કરેલી વિષયસ્પૃહા, વિષયભોગ, આત્માના શુભ પરિણામોને બાળી નાંખે છે. પવિત્ર અધ્યવસાયોનો ઘાણ કાઢી નાખે છે.
જો મનથી સ્મરણ કરવા માત્રથી આવું દુઃખદાયી પરિણામ આવે . છે, તો એ વિષયોના શારીરિક ઉપભોગથી તો કેવું દારુણ પરિણામ આવે ? એ જાણવા-સમજવા ‘વિપાકસૂત્ર' ને એકાગ્રતાથી વાંચવુંસાંભળવું જોઈએ. વિષયાસક્તિના દારુણ વિપાકોનું વર્ણન સાંભળતાં કે વાંચતાં વાડા ખડાં થઈ જશે.
પાંચ ઇન્દ્રિયો તો વિષયો (પોતાના પ્રિય) મળતાં નાચી ઉઠે છે. ખુશખુશાલ થઈ જાય છે, પરંતુ પરિણામ ભયંકર છે. જ શાખ્યશતક (KGRAMMAR ૫૭