________________
विषयेष्विन्द्रियग्रामश्चेष्टमानोऽसमंजसम् । नेतव्यो वश्यतां प्राप्य साम्यमुद्रां महीयसीम् ॥५७॥
: અર્થ : વિષયોમાં અયોગ્ય ચેષ્ટા કરનારી ઇન્દ્રિયોના સમુહને, સમતાની મોટી મુદ્દા પ્રાપ્ત કરી, વશ કરવો જોઈએ.
.: વિવેચન : - વિષયોમાં (શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં) ઇન્દ્રિયો અયોગ્ય ચેષ્ટા કરે છે ! અયોગ્ય ચેષ્ટા એટલે રાગ-દ્વેષ. ઇન્દ્રિયો વિષયોમાં રાગદ્વેષ કરીને આત્માને મલિન કરે છે. માટે ઇન્દ્રિયોને વશ કરવી જોઈએ. રાગ-દ્વેષ કરતી ઇન્દ્રિયોને રોકવી જોઈએ.
રાગ-દ્વેષ કરતી ઇન્દ્રિયોને રોકવી, એ નાનુંસુનું કામ નથી, અતિ વિકટ કામ છે. પરંતુ અહીં ગ્રંથકારે સરસ ઉપાય બતાવ્યો છે. એ ઉપાય છે સામ્યમુદ્દાનો ! સમતાનો, શમ-પ્રશમ ભાવનો. તમારું મન જો સમતા ભાવમાં લીન રહે, પ્રશમભાવમાં તલ્લીન રહે તો રાગ-દ્વેષ ઓછા થઈ જાય.
જે મનમાં, જે ચિત્તમાં સમતા રહે છે એ ચિત્તમાં તીવ્ર કોટિના રાગદ્વેષ નથી રહેતા. પછી ઇન્દ્રિયોના ઉન્મત્ત અશ્વો ઉન્માર્ગગામી નથી બનતા. જો તમે સમતાભાવથી ઇન્દ્રિયોને વશ નહીં કરો તો એ ઇન્દ્રિયોના ઘોડા તમને નરકના અરણ્યમાં લઈ જશે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે -
उन्मारगगामी अवश, इन्द्रिय चपल तुरंग, ।
खेंची नरक अरण्यमें, लेइ जाय निज संग. પ્રસ્તુતમાં ગ્રંથકારે ઇન્દ્રિયોના સમુહને (પાંચે ઇન્દ્રિયોને) વશ કરવાનો જે ઉપાય બતાવ્યો છે તે અદ્વિતીય છે ! તમે સામ્યભાવ તમારા ચિત્તમાં ધારણ કરો. સામ્યભાવથી ભરેલું ચિત્ત, ઇન્દ્રિયોને વશ કરશે! ઇન્દ્રિયોની ચંચળતા દૂર થશે. રાગ-દ્વેષ મંદ પડી જશે. વિષયોમાં ખપ પૂરતું જ વિચરણ કરશે. ઉન્માર્ગે નહીં જાય. સીધા માર્ગે ચાલશે. માટે મનમાં સામ્યભાવને સ્થિર કરો.
૫૮
of
Researatiશાશતક