________________
यदामनन्ति विषयान् विषसब्रह्मचारिणः । तदलीकममी यस्मादिहामुत्रापि दुःखदाः ॥५८॥
: અર્થ : કેટલાક (લોકો) વિષયોને વિષ સમાન કહે છે, તે ખોટું છે. કારણ કે વિષ (ઝેર) તો આ લોકમાં જ દુઃખ આપે છે, જ્યારે વિષયો આ લોક અને પરલોકમાં પણ દુઃખ આપે છે.
: વિવેચન : ‘વિષયો વિષ કરતાં પણ ભયંકર છે.’ આમ કહેવા માટે તેઓ કહે છે: વિષયોને ઝેર જેવા કહેવા, તે ખોટું છે ! ઝેર તો માત્ર એક જીવનનો નાશ કરે છે, જ્યારે વિષયોનો ઉપભોગ અનેક જન્મોમાં દુઃખી કરે છે. - વિષયોના ભોગ-ઉપભોગમાં જીવ તીવ્ર રાગ-દ્વેષ કરે છે. – તીવ્ર રાગ-દ્વેષથી નિકાચિત જેવાં પાપકર્મો બાંધે છે. - એ પાપકર્મો અનેક જન્મો સુધી ભોગવવા પડે છે, અર્થાત્ વિવિધ
તીવ્ર દુ:ખો ભોગવવા પડે છે. – દુર્ગતિઓની પરંપરા ચાલે છે.
માટે ગ્રંથકાર કહે છે ઈન્દ્રિયોને ખપ પૂરતી જ વિષયોના સંપર્કમાં રાખો; તે પણ મનમાં સમભાવ રાખીને વિષયોનો સંપર્ક કરાવો. વિષયોમાં રાગ-દ્વેષ કરવાની જનમ-જનમની ટેવને ટાળવાની છે. રાગદ્વેષ કર્યા વિના, સમતાભાવે વિષયોનો પરિમિત ભોગ-ઉપભોગ કરવાની આદત પાડવાની છે. • મનમાં સમભાવ રાખી, તમે તમારી નિંદા-પ્રશંસા સાંભળો. • મનમાં શમ-પ્રશમભાવ રાખીને વસ્તુનું રૂપ જુઓ. • મનમાં ઉપશમભાવ રાખીને સુગંધ-દુર્ગધનો અનુભવ કરો. • મનમાં ઉપશાન્તભાવ ધારણ કરીને સરસ-નિરસ ભોજન કરો. • મનમાં શામ્યભાવ રાખીને પ્રિય-અપ્રિય વિષયનો સ્પર્શ કરો...
આ રીતે કરેલા વિષયોપભોગ દુઃખી નહીં કરે. આ લોકમાં કે પરલોકમાં તમને દુઃખ નહીં આપે. શાખ્યશતક Sease