SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ लवणो दन्वतो यः स्यादगाधबोधने विभुः । अलंभविष्णुः सोऽप्यस्य नैव वैभवसंविदे ॥५०॥ : અર્થ : જે પુરુષ લવણ સમુદ્રની અગાધતાને જાણવા સમર્થ હોય, તે પુરુષ પણ આ લોભના વૈભવને જાણવા સમર્થ થતો નથી. : વિવેચન : જે પુરુષ સ્વયંભૂરમણ સમુદ્રની અગાધતા જાણી શકે છે, તે પુરુષ માટે પણ લોભના મહાસમુદ્રની અગાધતા જાણવી શકય નથી ! ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કહે છે : कोउ सयंभूरमनको, जे नर पावे पार, सो भी लोभ समुद्रको, लहे न मध्य प्रचार. લોભનો મહાસાગર એવો અગાધ છેએની અંત વિનાની ઉંડાઈ છે... કે જેને કેવળજ્ઞાની સિવાય કોઈ સમજી શકતું નથી. લોભનો મહાસાગર, દુનિયાના મહાસાગર (સ્વયંભૂરમણ સમુદ્ર) કરતાંય વધુ ઊંડો છે. જો એમાં જીવ ડૂબી ગયો, તો બહાર નીકળવું શકય નથી. એને બચાવવા માટે પણ કોઈ સમર્થ નથી. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ, લોભને મેઘની ઉપમા આપીને કહ્યું છે : . लोभमेघ उन्नत भये, पापपंक बहु होत, धर्महंस रति नहु लहै, चाहे न ज्ञान उद्योत. લોભની મૂશળધાર વષ થાય છે ત્યારે પાપનો ખૂબ કીચડ થાય છે. ધર્માત્મારૂપી હંસોને ખુશી નથી થતી અને લોભી જીવોને જ્ઞાનનો પ્રકાશ ગમતો નથી. મૂળ શ્લોકમાં “લોભનો વૈભવ' કહેવામાં આવ્યો છે. લોભનાં વૈભવને જાણવા કોઈ સમર્થ નથી. એનો તાત્પર્યાર્થિ આ છે કે લોભની અનંત ગહરાઈને કોઈ માપી શકતું નથી. શામ્યશતક National, ૫૧
SR No.005960
Book TitlePio Anubhav Ras Pyala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust
Publication Year1995
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy