________________
क्षमाभृदप्रियः साधुवृत्तलक्ष्मीविनाकृतः । मर्यादामदयं लुपन् लोभोऽम्बुनिधिरयं नवः ॥ ४९ ॥
: અર્થ : આ લોભરૂપી સમુદ્ર નવી જાતનો છે ! તે પર્વતોને અપ્રિય છે. તે સાધુવૃત્ત (સારું આચરણ) ની લક્ષ્મી (શોભા) વિનાનો છે. અને નિર્દયપણે મયદાને લોપનારો છે.
: વિવેચન : ગ્રંથકારે લોભને સમુદ્રની ઉપમા આપી છે. પરંતુ વિચિત્ર સમુદ્ર છે. આ લોભનો ! નવી જાતનો સમુદ્ર છે આ લોભનો." | પહેલી વાતઃ ક્ષમાભૂત એટલે પર્વત. સામાન્ય રીતે સમુદ્ર પર્વતોને પ્રિય કહેવાય છે. પ્રસ્તુતમાં ક્ષમામૃત” એટલે ક્ષમાશીલ પુરુષો. તેમને લોભ અપ્રિય હોય છે !
બીજી વાતઃ સાધુવૃત્ત એટલે સારી રીતે ગોળ-વત્સ ર. સમુદ્ર સાધુવૃત્તની શોભાથી યુક્ત હોય છે. બીજો અર્થ સારા આચરણવાળી લક્ષ્મીથી લક્ષ્મી દેવી સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલી છે, એવી માન્યતાની દ્રષ્ટિએ) યુક્ત હોય છે સમુદ્ર. પ્રસ્તુતમાં, લોભરૂપી સમુદ્ર, સારા આચરણવાળી લક્ષ્મી (શોભા)થી રહિત હોય છે. અર્થાત્ જ્યાં લોભ હોય છે, ત્યાં સદાચરણની લક્ષ્મી રહેતી નથી.
ત્રીજી વાતઃ સમુદ્ર ક્યારેય પોતાની મર્યાદા છોડતો નથી. જ્યારે આ લોભરૂપી સમુદ્ર, મર્યાદાનો લોપ કરે છે. જ્યાં લોભ હોય છે, ત્યાં કોઈ જાતની મર્યાદા રહેતી નથી. આ રીતે – .
લોભથી ક્ષમા રહેતી નથી, લોભથી સદાચરણનો નાશ થાય છે, અને લોભથી મર્યાદાનો ભંગ થાય છે. માટે લોભનો ત્યાગ કરવો જોઈએ.
ભિન્ન-ભિન્ન રીતે લોભના અનર્થો સમજાવીને, ગ્રંથકાર આચાર્યદિવ લોભનો ત્યાગ કરવાનો ઉપદેશ આપે છે. લોભને વૃક્ષની, વર્ષાકાળના મેઘની અને અભિનવ સમુદ્રની ઉપમા આપી, ચિંતનની દિશાઓને વિસ્તારી છે. ૫૦
SAMAશાભ્યશતક