Book Title: Pio Anubhav Ras Pyala
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust

Previous | Next

Page 93
________________ धिगविद्यामिमां मोहमयीं विश्वविसृत्वरीम् । यस्याः संकल्पितेऽप्यर्थे तत्त्वबुद्धिर्विज्रभते ॥८॥ અર્થ : આ વિશ્વમાં પ્રસરતી મોહમય અવિદ્યાને ધિક્કાર છે, કે જેનાથી સંકલ્પિત કરેલા પદાર્થમાં તત્ત્વબુદ્ધિ ઉત્પન્ન થાય છે. : વિવેચન : આ સમગ્ર વિશ્વ માયામય-મિથ્યા હોવા છતાં, જીવાત્મા આ વિશ્વના પદાર્થોને તત્ત્વરૂપ-વાસ્તવિક માને છે, એનું કારણ છે અવિદ્યા ! મોહમયી અવિદ્યા ! આ વિશ્વમાં નિરંતર પ્રસાર પામતી અવિદ્યા ! જે મિથ્યા છે, જે અસત્ છે, તેને તાત્ત્વિક સમજાવે છે આ અવિદ્યા. એટલું જ નહીં, જે સત્ છે, જે બ્રહ્મસ્વરૂપ છે, તેને અસત્ય સમજાવે છે આ અવિદ્યા. એટલે ગ્રંથકાર અવિદ્યાને ધિક્કારે છે. - મોહ-અજ્ઞાન = અવિદ્યા મોહનીય કર્મ અને જ્ઞાનાવરણ કર્મના ઉદયથી અવિદ્યા જન્મે છે. અવિદ્યાનો નાશ કરવો જ જોઈએ. અવિદ્યા નાશ પામે તો જ ભ્રમણાઓ નાશ પામે. જે સત્ છે તે સત્ સમજાય અને જે અસત્ છે, તે અસતું સમજાય. આ વિશ્વને, આ જગતને સાચું માનવાની અવિદ્યા, જીવને જનમજનમથી વળગી છે, અનાદિકાળથી વળગેલી છે. તેને દૂર કરવા નાનોસુનો ઉપાય કરવાથી નહીં ચાલે. એના માટે સતત અને ચીવટભર્યો ઉપાય કરવો પડશે. - ‘અવિદ્યાથી ઘેરાયેલા અને જગતને તત્વરૂપ માનનારા લોકોથી દૂર રહો. - અવિદ્યાની વાસનાને વૃઢ કરનારૂં વાંચન ન કરો, એવું સાંભળો નહીં. - તમારા અંતઃકરણને જાગ્રત રાખો. ૮૨ SNANAMRELIANNA શાભ્યશતક

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130