________________
धिगविद्यामिमां मोहमयीं विश्वविसृत्वरीम् । यस्याः संकल्पितेऽप्यर्थे तत्त्वबुद्धिर्विज्रभते ॥८॥
અર્થ : આ વિશ્વમાં પ્રસરતી મોહમય અવિદ્યાને ધિક્કાર છે, કે જેનાથી સંકલ્પિત કરેલા પદાર્થમાં તત્ત્વબુદ્ધિ ઉત્પન્ન થાય છે.
: વિવેચન : આ સમગ્ર વિશ્વ માયામય-મિથ્યા હોવા છતાં, જીવાત્મા આ વિશ્વના પદાર્થોને તત્ત્વરૂપ-વાસ્તવિક માને છે, એનું કારણ છે
અવિદ્યા ! મોહમયી અવિદ્યા ! આ વિશ્વમાં નિરંતર પ્રસાર પામતી અવિદ્યા !
જે મિથ્યા છે, જે અસત્ છે, તેને તાત્ત્વિક સમજાવે છે આ અવિદ્યા. એટલું જ નહીં, જે સત્ છે, જે બ્રહ્મસ્વરૂપ છે, તેને અસત્ય સમજાવે છે આ અવિદ્યા. એટલે ગ્રંથકાર અવિદ્યાને ધિક્કારે છે. -
મોહ-અજ્ઞાન = અવિદ્યા મોહનીય કર્મ અને જ્ઞાનાવરણ કર્મના ઉદયથી અવિદ્યા જન્મે છે.
અવિદ્યાનો નાશ કરવો જ જોઈએ. અવિદ્યા નાશ પામે તો જ ભ્રમણાઓ નાશ પામે. જે સત્ છે તે સત્ સમજાય અને જે અસત્ છે, તે અસતું સમજાય.
આ વિશ્વને, આ જગતને સાચું માનવાની અવિદ્યા, જીવને જનમજનમથી વળગી છે, અનાદિકાળથી વળગેલી છે. તેને દૂર કરવા નાનોસુનો ઉપાય કરવાથી નહીં ચાલે. એના માટે સતત અને ચીવટભર્યો ઉપાય કરવો પડશે. - ‘અવિદ્યાથી ઘેરાયેલા અને જગતને તત્વરૂપ માનનારા લોકોથી દૂર
રહો. - અવિદ્યાની વાસનાને વૃઢ કરનારૂં વાંચન ન કરો, એવું સાંભળો નહીં. - તમારા અંતઃકરણને જાગ્રત રાખો.
૮૨
SNANAMRELIANNA શાભ્યશતક