________________
विश्वं विश्वमिदं यत्र मायामयमुदाहृतम् । अवकाशोऽपि शोकस्य कुतस्तत्र विवेकिनाम् ॥८०॥ અર્થ :
:
જેમાં, આ સમગ્ર વિશ્વ માયામય કહેલું છે, તેમાં વિવેકી પુરુષોને શોકનો અવકાશ જ કર્યાં છે ? (અર્થાત્ વિવેકીએ શોક ન કરવો જોઈએ.) : વિવેચન :
એક અપેક્ષાએ બ્રહ્મસત્ય નમિથ્યા આ કથન સત્ય છે - એમ ગ્રંથકાર કહે છે. ‘આ વિશ્વ માયામય છે... સાચું નથી...' તો પછી, આ વિશ્વમાં કંઈ બગડી જાય, કંઈ નાશ પામી જાય... કંઈ ચોરાઈ જાય... તો શોક શા માટે કરવાનો ?
યાદ રાખો - ‘આ વિશ્વ... જે ચર્મચક્ષુથી દેખાય છે, તે મિથ્યા છે... માયા છે. ઇન્દ્રજાળ છે... ખોટું છે...' આ વિવેકદૃષ્ટિથી હમેશાં જોશો તો તમારા મનમાં કયારેય શોક નહીં થાય, વિષાદ નહીં જન્મે.
હે આત્મ, તમે તો તમારા આત્મગુણોમાં જ રાચો ! સમતાને ઘટમાં રાખીને સદૈવ આનંદમાં રહો ! ૫૨૫દાર્થોમાં જેને રાચવું હોય તેને રાચવા દો ! મિથ્યા જગતમાં રાચવું હોય તેને રાચવા દો. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીના શબ્દોમાં -
पर में राचे पररुचि, निजरूचि निज गुणमांही, खेले प्रभु आनंदघन, धरी समता गले बांहि, मायामय जग को कह्यो, जहाँ सब ही विस्तार,
'
ज्ञानीकुं होवत कहां, तिहां शोक को चार. આ વિશ્વમાં કંઈ પણ ઘટે, કંઈ પણ બને, તમે શોક ન કરો. તમે હર્ષ ન પામો. આ વિશ્વ માયામય છે, અસત્ય છે. તેમાં વિવેકી પુરુષ હર્ષ-શોક ન કરે.
શામ્યશતક
5
૮૧