SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ वासनावेशवशतो ममता न तु वास्तवी । गवाश्वादिनि विक्रीते, विलीनेयं कुतोऽन्यथा ॥७९॥ : અર્થ : જીવની વાસનાના આવેશથી મમતા હોય છે, વાસ્તવિક નથી હોતી. જો મમતા વાસ્તવિક હોય તો ગાય, ઘોડા આદિ વેચી દીધા પછી, મમતા કેમ જતી રહે છે? : વિવેચન : મન જે પદાર્થો પર મમતા કરે છે, તે સાચી નથી હોતી, વાસ્તવિક નથી હોતી. કારણ કે તે વસ્તુનિષ્ઠ નથી હોતી, મનકૃત હોય છે. જો વસ્તુનિષ્ઠ હોય તો તે કાયમ રહેવી જોઈએ. પરંતુ તે કાયમ નથી રહેતી. જ્યાં સુધી મનની મમતા હોય છે ત્યાં સુધી જ રહે છે. જે મકાન, જે ગાય-ભેંસ, જે ગાડી-ઘોડા, જે કાર-સ્કુટર.... પોતાના હોય છે, આ બધું મારૂં, આવી વાસના હોય છે, ત્યાં સુધી મમત્વ રહે છે, રાગ-દ્વેષ થાય છે, પરંતુ એ બધું વેચાઈ ગયા પછી મમત્વ રહેતું નથી! કારણ કે મનકૃત વાસના ચાલી ગઈ છે ! ગ્રંથકાર આ વાત વારંવાર, જુદા જુદા દ્રષ્ટિકોણથી સમજાવે છે કે વિષયોમાં સુખ કે દુઃખ નથી. તમારા મનની કલ્પનામાં સુખ-દુઃખ રહેલાં છે. કોઈ વિષય સારો-નરસો નથી. સારા-નરસાની કલ્પનાઓ તમારા મનની છે ! રાગ-દ્વેષ તમારું મન કરે છે.... ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે: मनकृत ममता जूठ है, नहीं वस्तु पर जाय, नहिं तो वस्तु विकायथें, क्युं ममता मिट जाय? બધી માયા મનની છે. મનના વિકારો, મનના વિલાસો જ રાગદ્વેષ અને મોહ કરાવે છે, કર્મબંધ કરાવે છે અને સંસારની ચાર ગતિમાં ભટકાવે છે. ૮૦ RANA ANGANA RAN શાખ્યશતક શાશતક
SR No.005960
Book TitlePio Anubhav Ras Pyala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust
Publication Year1995
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy