________________
वासनावेशवशतो ममता न तु वास्तवी । गवाश्वादिनि विक्रीते, विलीनेयं कुतोऽन्यथा ॥७९॥
: અર્થ : જીવની વાસનાના આવેશથી મમતા હોય છે, વાસ્તવિક નથી હોતી. જો મમતા વાસ્તવિક હોય તો ગાય, ઘોડા આદિ વેચી દીધા પછી, મમતા કેમ જતી રહે છે?
: વિવેચન : મન જે પદાર્થો પર મમતા કરે છે, તે સાચી નથી હોતી, વાસ્તવિક નથી હોતી. કારણ કે તે વસ્તુનિષ્ઠ નથી હોતી, મનકૃત હોય છે. જો વસ્તુનિષ્ઠ હોય તો તે કાયમ રહેવી જોઈએ. પરંતુ તે કાયમ નથી રહેતી. જ્યાં સુધી મનની મમતા હોય છે ત્યાં સુધી જ રહે છે.
જે મકાન, જે ગાય-ભેંસ, જે ગાડી-ઘોડા, જે કાર-સ્કુટર.... પોતાના હોય છે, આ બધું મારૂં, આવી વાસના હોય છે, ત્યાં સુધી મમત્વ રહે છે, રાગ-દ્વેષ થાય છે, પરંતુ એ બધું વેચાઈ ગયા પછી મમત્વ રહેતું નથી! કારણ કે મનકૃત વાસના ચાલી ગઈ છે !
ગ્રંથકાર આ વાત વારંવાર, જુદા જુદા દ્રષ્ટિકોણથી સમજાવે છે કે વિષયોમાં સુખ કે દુઃખ નથી. તમારા મનની કલ્પનામાં સુખ-દુઃખ રહેલાં છે. કોઈ વિષય સારો-નરસો નથી. સારા-નરસાની કલ્પનાઓ તમારા મનની છે ! રાગ-દ્વેષ તમારું મન કરે છે....
ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે: मनकृत ममता जूठ है, नहीं वस्तु पर जाय, नहिं तो वस्तु विकायथें, क्युं ममता मिट जाय?
બધી માયા મનની છે. મનના વિકારો, મનના વિલાસો જ રાગદ્વેષ અને મોહ કરાવે છે, કર્મબંધ કરાવે છે અને સંસારની ચાર ગતિમાં ભટકાવે છે.
૮૦
RANA ANGANA RAN શાખ્યશતક
શાશતક