SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ममत्वं माम भावेषु वासनातो, न वस्तुतः । औरसादपरत्रापि पुत्रवात्सल्यमीक्ष्यते ॥७८॥ : અર્થ : પદાર્થોમાં વાસનાથી જ મમત્વ છે, વસ્તુથી નથી. જેમ પોતાના ઔરસ પુત્ર સિવાય પણ બીજે પુત્રવાત્સલ્ય જોવા મળે છે. .: વિવેચન : આ વસ્તુ મારી છે. માટે વસ્તુમાં મમત્વ થાય છે. મારાપણાની વાસના, મારાપણાની આસક્તિ મમત્વનું કારણ છે. એવી રીતે જે વસ્તુ, જે વ્યક્તિ તમારી ન હોય, છતાં જો એના તરફ પ્રિયત્વની વાસના જાગે તો, એ વસ્તુ કે એ વ્યક્તિ ઉપર મમત્વ જાગે છે. - તમારા પુત્ર ઉપર વાત્સલ્ય જાગે છે, તેમ જે બાળક તમારૂં ન હોય એના ઉપર પણ પુત્રવત્ વાત્સલ્ય જાગે છે. - તમારી પત્ની ઉપર પ્રેમ હોય છે, તેમ જે સ્ત્રી તમારી નથી, એ પણ જો તમને ગમે છે તો પત્નીવત્ પ્રેમ જાગે છે. વાસના મારા-તમારાનો વિચાર કરતી નથી. વાસના એટલે વાસના ! જે આપણું હોય એના પર મમત્વ થાય અને જે આપણું ન હોય, એના ઉપર પણ મમત્વ થાય. ઉપાધ્યાયશ્રી યશોવિજયજીએ કહ્યું છે - गुन ममकार, न वस्तु को, सो वासना निमित्त, माने सुत में सुत अधिक, वोरत है हित चित्त. સ્વપદાર્થમાં જેમ મમત્વની વાસના નથી રાખવાની, તેમ પર 'પદાર્થમાં પણ પ્રિયત્વની વાસના નથી રાખવાની. જો પરપદાર્થ તમને પ્રિય લાગશે તો તે મેળવવાની વાસના જાગશે. એ વાસના ખતરનાક હોય છે. એમાં ય - પરધન અને પરસ્ત્રી - આ બે વસ્તુ કયારેય ગમવા દેશો નહીં. એમાં પ્રિયત્વની વાસના બંધાવા દેશો નહીં. નહીંતર તમારો વિનાશ થશે. શાગ્યશતક Assistant & ૭૯
SR No.005960
Book TitlePio Anubhav Ras Pyala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust
Publication Year1995
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy