________________
क्रोधयोधः कथंकारमहंकारं करोत्ययम् ।
लीलयैव पराजिग्ये क्षमया रामयापि च ॥३५॥
: અર્થ :
આ ક્રોધરૂપી યોદ્ધો શા માટે અભિમાન કરતો હશે ? કેમ કે એક ક્ષમા-સ્ત્રી લીલામાત્રમાં હરાવી શકે છે !
: વિવેચન :
ક્રોધ એક દુર્જેય યોદ્ધો છે, સુભટ છે, ક્ષમા એક અદ્ભુત સ્ત્રી છે !
સ્ત્રી, યોદ્ધાને પલવારમાં હરાવી દે છે ! જો તમારે ક્રોધ ઉપર વિજય મેળવવો છે, તો તમારે ક્ષમાને જ આગળ કરવી પડશે. ક્ષમા જ, ક્રોધસુભટને પરાજિત કરી શકે છે.
ગ્રંથકારે અહીં ક્ષમાને ‘સ્ત્રી'ની ઉપમા આપીને, ક્રોધની નબળી કડી ખૂલ્લી કરી છે. બળવાન પુરુષોની નબળાઈ ‘સ્ત્રી' હોય છે. યોગી-મુનિઋષિઓની નબળાઈ ‘સ્ત્રી' હોય છે ! ક્રોધને યોદ્ધાની-સુભટની ઉપમા આપીને, એની નબળાઈ ‘ક્ષમા-સ્ત્રી' બતાવી છે !
તાત્પર્યાર્થ આ છે ઃ ક્ષમાથી જ ક્રોધ ઉપર વિજય મેળવી શકાય. તમે ગમે તેટલા તપ કરો, ગમે તેટલું દાન આપો, ગમે તેટલા વ્રત-નિયમ પાળો... તમે ક્રોધ પર વિજય નહીં મેળવી શકો.
ઉપાધ્યાયશ્રી યશોવિજયજી આ શ્લોકનો અર્થ આ પ્રમાણે કરે છેयाको मासे सम-वधू क्षमा सहज में जोर, क्रोध - योध क्युं कर सके, सो अपनो बल सोर મારે ક્રોધ ઉપર વિજય મેળવવો જ છે,' આવો તમારો દ્દઢ નિર્ણય હોવો જોઈએ. તો જ તમે ‘ક્ષમા’ ને સાથે રાખી શકશો. ક્ષમા પર વિશ્વાસ રાખી શકશો. “ક્ષમાથી ક્રોધ ઉપર વિજય મેળવાય જ છે.' આ શ્રદ્ધા રાખી શકશો.
તમે યાદ રાખો : ક્રોધની નબળાઈ ક્ષમા-સ્ત્રી છે ! ક્રોધની નબળી કડી ક્ષમા છે. ક્રોધ આવે ત્યારે એની સામે ક્ષમા-સ્ત્રીને ઊભી રાખી દો. ક્રોધનું રૂપ જ બદલાઈ જશે !
參
૩૬
શામ્યશતક