________________
શબ્દ નિત્ય છે એ મીમાંસક મત
૧૧
सावयवे हि वस्तुनि द्विधाऽवयवा दृश्यन्ते आरब्धकार्याश्चानारब्धकार्याश्चेति । इह पुनराब्धकार्या अनारब्धकाया वा पटे तन्त्वादय इव वर्णे न क्वचिदवयवा उपलभ्यन्ते न चानुमीयन्ते लिङ्गाभावात् ।
222, નિયાયિક-તે કેવી રીતે ?
મીમાંસક–અમે જણાવીએ છીએ. જે સ્વપ પ્રયનથી વર્ણ પ્રયોજાય અને તેથી] જે ન અનુભવાય (=સંભળાય) તો આખે (=સકલ) વર્ણ ન અનુભવાય. તેને જે અવયવો હેત તે એવું બનતું કે તેને અમુક ભાગ સંભળાત અને અમુક ભાગ ને સંભળાત, પરંતુ વર્ણને અવ ન હોવાથી સંભળાય તે આખે સંભળાય અને ન સંભળાય તે રાખે ન સંભળાય.]
સાવયવ વસ્તુમાં બે પ્રકારના અવયે દેખાય છે. આરબ્બકાર્ય અને અનારેશ્વકાર્ય, [પટ કાર્ય છે. તેથી તે અવયવી છે. તેનુ પટના સમવાયિકારણે છે. તેથી તે પટના આરબ્બકાર્ય અવયવો કહેવાય. પરંતુ તંતુના અવય અંશુઓ છે. તે તંતુઓના સમવાધિકારણે છે. એટલે અંશુએ તતુઓના આરબ્ધ કાય અવયવો કહેવાય. પરંતુ અંશુ પટના અનારબ્બકા અવશે કહેવાય.] પટમાં જેમ આધકાર્ય અને અનારબ્ધકાય અવયવો મળે છે તેમ અહીં વર્ણમાં ક્યારેય મળતાં નથી. વર્ણમાં અવયવોનું અનુમાન પણ થતું નથી કારણ કે તેમનું કોઈ લિંગ નથી.
223. નાથાશ્રયવિનારાનારા, શઢથામાવિવરનાશ્રિતવાતા મારાશ્રિતત્વपक्षे वा तन्नित्यत्वात् । न चान्यः कश्चन शब्दनाशस्य हेरस्ति ।
क्षयो यथोपभोगेन शस्त्र दिच्छेदनेन वा । संभाव्यते पटादीनां नै शब्दस्य कर्हि चित् ॥ .. तस्मात्तिरोहितोऽप्यास्ते यदि शब्दः क्षणान्तरम् । मृत्योर्मुखादपक्रान्तः पुनः + नैष हन्यते ॥
223. આશ્રયના વિનાશથી થતો વિનાશ પણ શબ્દમાં નથી, કારણ કે શબ્દ આત્મા વગેરેની જેમ અનાશ્રિત છે. શબ્દ આકાશાશ્રિત છે એ પક્ષ લે તો, આકાશ નિત્ય હોવાથી શબ્દને નાશ નથી. શબ્દના નાશને બીજો કોઈ હેતુ નથી. ઉપભોગ (=વારંવાર વપરાશ) દ્વારા કે શસ્ત્ર વગેરેથી છેદાવો દ્વારા પટ વગેરેનો નાશ સંભવે છે પરંતુ એવી રીતે શબ્દને ક્યારેય નાશ સંભવ નથી. તેથી શબ્દ જ બીજી ક્ષણે નિરહિત અવસ્થામાં રહેતા હોય તે મૃત્યુના મુખમાંથી બચાવાયેલે તે પછી કોનાથી હણાય ?
C224. મતૐ નિત્ય: ફા“કંથામાવત' [ નૈ. [ ૨. ૨. ૨૦ ] I अष्टकृत्वो गोशब्दः उच्चारित इति वदन्ति, न त्वष्टौ गोशब्दा इति । तेनैकत्वमवगम्यते । योऽयं क्रियाभ्यावृत्तिगणने विहितः कृत्वसुच्प्रत्ययः, स क्रियावतामभेदे भवति । तेनोच्चारणावृत्तिमात्रम् । तदुक्तम्
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org