________________
પંદરમા શતકનાં બે નવપ્રાપ્ત સ્તોત્રો
મુનિ કૃતપુણ્યસાગર
સં. ૧૫૧૩ | ઈ. સ. ૧૪૫૭માં લખાયેલી એક પ્રત પરથી ઉતારેલાં બે સ્તોત્રો અહીં સંપાદિત કર્યા છે. બન્નેમાં વ્યાકરણાદિ દોષો હતા, જે બે સંસ્કૃતજ્ઞ વિદ્વાનો–પં. મૃગેન્દ્રનાથ ઝા અને શ્રી અમૃત પટેલની સહાયથી સુધારી લીધા છે. શ્રી પટેલે બન્ને સ્તોત્રોને લાદ. ભા. સં. વિડની હસ્તપ્રત ભેટ સૂચિ ક્રમાંક ૨૯૪૪૪ સાથે મેળવી વિશેષ શુદ્ધ કર્યા છે. બન્નેના કર્તા તપાગચ્છીય યુગપ્રધાન આચાર્ય સોમસુંદરસૂરિના પરિવારના, સંભવતઃ એક જ મુનિ હોવાનું જણાય છે. બન્ને સ્તોત્ર યમકમય છે. પહેલું પાર્શ્વજિનસ્તોત્ર અષ્ટક રૂપે છે અને તેનાં પડ્યો “વંશસ્થ'માં નિબદ્ધ છે. તે પછી નવમું પદ્ય પણ છે, જે શાર્દૂલવિક્રીડિત છંદમાં ઢાળ્યું છે. પરંતુ તે અંતિમ નોંધ રૂપે છે. જોકે તેમાં કર્તાનું નામ નથી આપ્યું, પણ ગુર સોમસુંદરનો ઉલ્લેખ જરૂર છે. લેખન સંવતની નીચે જુદી નોંધમાં શ્રી સોમસુંદરસૂરિશિષ્ય શ્રીમદોપાધ્યાયવિ શ્રી સોમદેવમૂરિ પર્વિતિ: એમ નોંધ્યું છે. બીજું સ્તોત્ર રાણકપુરના સુપ્રસિદ્ધ ચતુર્મુખવિહાર(ધરણવિહાર)ને ઉદ્દેશીને રચાયું છે. તેમાં પણ લેખન સંવતની નોંધમાં શ્રી સોમસુંદ્રસૂરિ શિષ્ય શ્રીમટ્ટારપ્રભુ શ્રીમદ્દેવસૂરિપદૈઃ પ્રણીતઃ | એવી નોંધ છે. આ સ્તવ પણ અષ્ટક રૂપે, પણ આર્યાછંદમાં બાંધેલું છે. તેમાં નવમા પદ્યમાં ‘સોમસુંદરપ્રભ' ઉલિખિત છે અને તે ઉપરાંત તે પછી “જયચંદ્ર' શબ્દ પણ આવે છે. (શું અહીં શ્લેષથી સોમસુંદરસૂરિના શિષ્ય “જયચંદ્ર' સૂચિત હશે ?) જોકે લેખન સંવતુ નોંધ પરથી તો બન્ને સ્તોત્રના કર્તા સોમદેવસૂરિ સૂચવાતા હોવાનું જણાય છે. નામ પણ અપાયું છે, જે પણ “સોમદેવસૂરિ'ની જેમ સોમસુંદરસૂરિના મુનિ પરિવારના સદસ્ય હતા. | ‘રાણપુર-ચતુર્મુખ-યુગાદિદેવ-સ્તવ' એ રાણકપુરના આ વિખ્યાત જિનાલય પર સોમસુંદરસૂરિના જ એક અન્ય શિષ્ય રત્નશેખરસૂરિના, પ્રાય: એ જ કાળમાં રચાયેલા, સ્તવની સાથે જોડીરૂપે ઘટાવી શકાય. આમ અહીં પ્રકાશિત થઈ રહેલાં બન્ને નવપ્રાપ્ત સ્તોત્રોથી સોમસુંદરસૂરિયુગના અને એ મહાનું આચાર્ય અને તેમના શિષ્ય પ્રશિષ્યાદિ દ્વારા બહલ સંખ્યામાં રચાયેલાં સ્તુતિ-સ્તોત્ર-સ્તવાદિમાં વિશેષ વધારો થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org