Book Title: Navtattvano Saral Parichay
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 84
________________ પાઠ : ૩૩ ૬ સંવર તત્ત્વ સંવર : આશ્રવનો નિરોધ તે સંવર છે. આશ્રવ : કર્મનો પ્રવાહ આવે છે. સંવર : કર્મનો પ્રવાહ રોકાય છે. સંવરના બે પ્રકાર છે. (૧) દ્રવ્ય સંવર, (૨) ભાવ સંવર દ્રવ્ય સંવર : જ્ઞાનાવરણાદિ કર્મના પ્રવાહનું રોકાઈ જવું. ભાવ સંવર : રાગાદિ ભાવનું રોકાઈ જવું. 1:0 વિસ્તારથી જોતાં સંવર તત્ત્વના ૫૭ ભેદો છે. ૫ સમિતિ, ૩ ગુપ્તિ, ૨૨ પરિષ, ૧૦ યતિધર્મ, ૧૨ ભાવના, ૫ ચારિત્ર ૫૭ ભેદો. સમિતિ ૫ સમિતિ - જિનાજ્ઞા પ્રમાણે સમ્યક્ પ્રવૃત્તિ કરવી. ઉપયોગ સહિત પ્રવૃત્તિ કરવી. ૧. ઇર્યા સમિતિ : ઇર્યા -ગમનાગમન. ઉપયોગપૂર્વક હરવું ફરવું, સજીવ ભૂમિને છોડીને યત્નાપૂર્વક ચાલવું, જવું આવવું. ૨. ભાષા સમિતિ : નિરવદ્ય, અને નિર્દોષ વચન બોલવા, માયા, પ્રપંચ કે આક્રોશવાળા વચન ન હોય. ૩. એષણા સમિતિ : નિર્દોષ આહાર ગ્રહણ કરવો. સાધુ મહારાજ બેતાલીશ દોષ રહિત આહાર લે. ૪. આદાન ભંડ મત્ત નિક્ષેપણા સમિતિ : આદાન ગ્રહણ કરવું, ભંડમત્ત - પાત્રાદિ વગેરેની યતના, નિક્ષેપણ - લેવા મૂકવા - કોઈ પણ વસ્તુ લેતાં મૂકતાં જીવની વિરાધના હિંસા ન થાય તેમ ભૂમિને જોઈ પ્રમાજીને લેવી મૂકવી. : – ૫. પારિષ્ઠાપનિકા સમિતિ ઃ ઉત્સર્ગ સમિતિ. પરિષ્ઠાપન - વિધિપૂર્વક છોડવું, કફ, મળમૂત્ર કે સદોષ આહારાદિ નિર્જીવ સ્થળે યતનાપૂર્વક છોડવા, ત્યાગ કરવો. - ગુપ્તિ ૩ ગુપ્તિ : શુભકાર્યમાં પ્રવૃત્તિ અને અશુભકાર્યથી નિવૃત્તિ ૧. મનગુપ્તિ ઃ આર્ત કે રૌદ્રધ્યાનના વિચારોનો ત્યાગ કરવો અને ધર્મધ્યાન કે શુક્લધ્યાન ચિંતવવું. અંતે વ્યર્થ મનોવ્યાપારનો સર્વથા ત્યાગ કરવો. Jain Education International – ૨. વચન ગુપ્તિ : અન્યને પીડાકારી સાવધ વચન ન બોલવા. આંખ, હાથની ચેષ્ટ જેવી સંજ્ઞાના ત્યાગપૂર્વકનું મૌન રાખવું અથવા વસ્ત્ર કે મુહપત્તી રાખીને બોલવું. ૩. કાય ગુપ્તિ : શાસ્ત્રઓક્ત વિધિ પ્રમાણે ગમનાગમન કરવું અને કારણ વગર શરીરની ચપળતાનો ત્યાગ કરવો. ૭૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138