________________
પાઠ : ૩૩
૬ સંવર તત્ત્વ
સંવર : આશ્રવનો નિરોધ તે સંવર છે.
આશ્રવ : કર્મનો પ્રવાહ આવે છે. સંવર : કર્મનો પ્રવાહ રોકાય છે.
સંવરના બે પ્રકાર છે. (૧) દ્રવ્ય સંવર, (૨) ભાવ સંવર
દ્રવ્ય સંવર : જ્ઞાનાવરણાદિ કર્મના પ્રવાહનું રોકાઈ જવું. ભાવ સંવર : રાગાદિ ભાવનું રોકાઈ જવું.
1:0
વિસ્તારથી જોતાં સંવર તત્ત્વના ૫૭ ભેદો છે.
૫ સમિતિ, ૩ ગુપ્તિ, ૨૨ પરિષ, ૧૦ યતિધર્મ, ૧૨ ભાવના, ૫ ચારિત્ર ૫૭ ભેદો.
સમિતિ ૫
સમિતિ - જિનાજ્ઞા પ્રમાણે સમ્યક્ પ્રવૃત્તિ કરવી. ઉપયોગ સહિત પ્રવૃત્તિ કરવી. ૧. ઇર્યા સમિતિ : ઇર્યા -ગમનાગમન. ઉપયોગપૂર્વક હરવું ફરવું, સજીવ ભૂમિને છોડીને યત્નાપૂર્વક ચાલવું, જવું આવવું.
૨. ભાષા સમિતિ : નિરવદ્ય, અને નિર્દોષ વચન બોલવા, માયા, પ્રપંચ કે આક્રોશવાળા વચન ન હોય.
૩. એષણા સમિતિ : નિર્દોષ આહાર ગ્રહણ કરવો. સાધુ મહારાજ બેતાલીશ દોષ રહિત આહાર લે.
૪. આદાન ભંડ મત્ત નિક્ષેપણા સમિતિ : આદાન ગ્રહણ કરવું, ભંડમત્ત - પાત્રાદિ વગેરેની યતના, નિક્ષેપણ - લેવા મૂકવા - કોઈ પણ વસ્તુ લેતાં મૂકતાં જીવની વિરાધના હિંસા ન થાય તેમ ભૂમિને જોઈ પ્રમાજીને લેવી મૂકવી.
:
–
૫. પારિષ્ઠાપનિકા સમિતિ ઃ ઉત્સર્ગ સમિતિ. પરિષ્ઠાપન - વિધિપૂર્વક છોડવું, કફ, મળમૂત્ર કે સદોષ આહારાદિ નિર્જીવ સ્થળે યતનાપૂર્વક છોડવા, ત્યાગ કરવો.
-
ગુપ્તિ ૩
ગુપ્તિ : શુભકાર્યમાં પ્રવૃત્તિ અને અશુભકાર્યથી નિવૃત્તિ
૧. મનગુપ્તિ ઃ આર્ત કે રૌદ્રધ્યાનના વિચારોનો ત્યાગ કરવો અને ધર્મધ્યાન કે શુક્લધ્યાન ચિંતવવું. અંતે વ્યર્થ મનોવ્યાપારનો સર્વથા ત્યાગ કરવો.
Jain Education International
–
૨. વચન ગુપ્તિ : અન્યને પીડાકારી સાવધ વચન ન બોલવા. આંખ, હાથની ચેષ્ટ જેવી સંજ્ઞાના ત્યાગપૂર્વકનું મૌન રાખવું અથવા વસ્ત્ર કે મુહપત્તી રાખીને બોલવું. ૩. કાય ગુપ્તિ : શાસ્ત્રઓક્ત વિધિ પ્રમાણે ગમનાગમન કરવું અને કારણ વગર શરીરની ચપળતાનો ત્યાગ કરવો.
૭૩
For Private & Personal Use Only
www.jainelibrary.org