SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ સમિતિ + ત્રણ ગુપ્તિ : અષ્ટ પ્રવચન માતા કહેવાય છે. આ આઠ પ્રવચનરૂપી માતા સંવરરૂપ પુત્રને જન્મ આપે છે. સંવરધર્મ વ્રતધારીને સામાયિક પૌષધમાં હોય છે. મુનિને હંમેશા હોય છે માટે આ આઠ પ્રકારને રૂડી રીતે ગ્રહણ કરવા જેનાથી રાગાદિભાવ રોકવાથી સંવર થાય છે. પરિષહ બાવીસ : આવતા કષ્ટોને સમભાવે સહન કરવા. મુખ્યત્વે આ પરિષષ્ઠ મુનિધર્મમાં છતાં વ્રતધારી શ્રાવકને પણ આવશ્યક છે. પરિષહ સહન કરવામાં રાગદ્વેષ ક્ષિણ થતા સંવર થાય છે. ૧ ક્ષુધા પરિષહ : નિર્દોષ આહારની અપ્રાપ્તિ છતાં સદોષ આહાર લેવો નહિ પણ સુધા સહન કરવી. ૨ તૃષા પરિષહ ઃ તરસ લાગે ત્યારે અળગણ કે સચિત પાણી પીવું નહિ તૃષા સહન કરવી. ૩ શીત પરિષહ : સખત ઠંડીમાં અગ્નિ જેવા સાધનોનો ઉપયોગ કરવો નહિ ઠંડી સહન કરવી. ૪ ઉષ્ણ પરિષહ : અતિશય ગરમી છતાં વાયુ કે પંખા જેવા સાધનોનો ઉપયોગ કરવો નહિ ગરમીની પીડા સહન કરવી. પ દંશ પરિષહ : મચ્છર આદિના ઉપદ્રવથી ત્રાસ ન પામવો સહન કરવું. ૬ અચેલક પરિષહ : મૂલ્યવાન વસ્ત્રો કે ઉપકરણ ન રાખવા, મલિન કે જીર્ણ વસ્ત્ર મળે ખેદ કરવો નહિ. ૭ અતિ પરિષહ : દુઃખમાં ઇષ્ટ વસ્તુની અપ્રાપ્તિમાં ખેદ ન કરવો. ૮ સ્ત્રી પરિષહ : સ્ત્રીના મનોહર રૂપાદિ જોઈ મોંહ પામવો નહિ. ૯ ચર્યા પરિષહ : અપ્રતિબધ્ધ વિહાર કરવો. પ્રતિકૂળતા સહન કરવી. ૧૦ નિષદ્યા પરિષહ ઃ સ્મશાન કે નિર્જન સ્થાનમાં ધ્યાન કરતાં ઉપસર્ગ થાય તે સહન કરવા. ૧૧ શય્યા પરિષહ : સંથારો કરવામાં જે પ્રતિકૂળતા આવે તે સહન કરવી. ૧૨ આક્રોશ પરિષહ : કોઈના કઠોર વચન સહન કરવા. ૧૩ વધ પરિષહ : કોઈ મારે, પ્રહાર કરે તો સહન કરવા પણ દ્વેષ ન કરવો. ૧૪ યાચના પરિષહ ઃ સંયમને યોગ્ય વસ્તુ મેળવવા શ્રાવકો પાસે સંકોચ ન રાખવો. : ૧૫ અલાભ પરિષહ : નિર્દોષ ભિક્ષા ન મે તો ઉદ્વેગ ન કરવો. ૧૬ રોગ પરિષહ : રોગ સમયે ઔષધ-સેવાની અપેક્ષા વગર સહન કરવું. ૧૭ તૃણ સ્પર્શ પરિષહ : વિહારમાં કે સંથારામાં કાંટા વગેરેના સ્પર્શથી ક્ષોભ કે દુઃખ ન માનવું. ૧૮ મલ પરિષહ : શરીરની મલિનતા કે પરસેવાથી ઉદ્વેગ પામી સ્નાનની ઇચ્છા ન કરવી. ૧૯ સત્કાર પરિષહ ઃ ભક્તો તરફથી મળતા સત્કારમાં રાજી થવું નહિ. ૨૦ પ્રજ્ઞા પરિષહ : જ્ઞાન હોવા છતાં ગર્વ ન કરવો. ૨૧ અજ્ઞાન પરિષહ : જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી અજ્ઞાન માટે દુઃખ ન લગાડવું પણ જ્ઞાન ૭૪ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004527
Book TitleNavtattvano Saral Parichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1998
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy