Book Title: Navtattvano Saral Parichay
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 115
________________ 00.00000000000000000000000000000000%B8%989980%AA%BE ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦9999999૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ %૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ossosa ૦ ૦૦૦૦૦૦%95005900000000000 વ્રતતપાદિમાં કે દાનાદિ જેવા સુકૃત્યમાં અન્યને અવરોધ કરવાથી તથા હિંસાદિ પ્રવૃત્તિ કરવાથી જીવને અંતરાય કર્મ બંધાય છે. ૫. નામ કર્મબંધનાં કારણો : નામકર્મના બે ભેદ છે શુભકર્મ અને અશુભકર્મ શુભનામકર્મ : ક્ષમા, નમ્રતા, સરળતા, કે સંતોષ જેવા ગુણો વડે તથા ગુણી જનોની પ્રશંસા અહિંસા ધર્મના પાલનથી, તથા દુષ્કૃત્યની ગહ-નિંદાથી શુભનામ કર્મ બંધાય છે. અશુભનામકર્મ :- મન, વચન, કાયાની વક્રતા. પરનિંદા અને સ્વપ્રશંસા કરવી, વિષયભોગની લોલુપતા, છળ, પ્રપંચ, અસત્ય, ચોરી આરોપ મૂકવા જેવા દુષ્કૃત્યથી અશુભનામકર્મ બંધાય છે. ( ૬. ગોત્ર કર્મબંધનાં કારણો : ૧. ઉચ્ચગોત્ર : નિરહંકાર, ગુણ ગૃહણતા, જિનભક્તિ, ગુરૂ ઉપાસના, શાસ્ત્ર અધ્યયનમાં રૂચિ, વગેરેથી ઉચ્ચ ગોત્ર કર્મ બંધાય છે. ૨. નીચ ગોત્ર: અહંકાર, મદ, મત્સર જેવી વૃત્તિઓ, પર નિંદા સ્વપ્રશંસા જેવા દુર્ગુણોથી નીચ ગોત્ર કર્મ બંધાય છે. 6. વેદનીય કર્મબંધનાં કારણો : શતાવેદનીય કર્મ : જિનભક્તિ, જ્ઞાની ગુરુ જનોની સેવા, ધર્મની શ્રદ્ધા, દયા, ક્ષમા, વ્રત વગેરેનું પાલન કરવું. મન, વચન, કાયાની શુભ પ્રવૃત્તિ, સુપાત્રે દાન, કષાયો | છે અને વિષયોની મંદતા, વગેરે કારણથી શાતાવેદનીય કર્મ બંધાય છે. અશાતા વેદનીય કર્મ : ઉપરના કારણોની વિરૂદ્ધ વર્તવાથી, શોક સંતાપ કરવાથી આઝંદ, રૂદન કરવાથી, હિંસા જેવા પાપકાર્ય કરવાથી, અભક્ષ્ય જેવા પદાર્થોના સેવનથી, [ સદેવ ગુરુની નિંદા કરવાથી, અશાતા વેદનીયનું કર્મ બંધાય છે. [ ૮. આયુષ્ય કર્મબંધના કારણો : પંચમગતિના અપેક્ષાએ ચારે પ્રકારના આયુષ્ય સહિત ચાર ગતિમાં દુઃખ છે, છતાં હું મનુષ્ય અને દેવનું આયુ શુભ ગણાય છે. નરકાયુ : મહા આરંભ પરિગ્રહ કરવો, તેનો મોહ રાખવો, ઘણા પાપ યુક્ત વ્યાપાર, ક્રૂર પરિણામ, હિંસાત્મક પ્રવૃત્તિ, માંસભક્ષણ, વૈરભાવ, રૌદ્રધ્યાન, રાત્રી ભોજન અને વ્યભિચાર જેવા કાર્યોથી નરકાયું બંધાય છે. તિર્યંચાયુ છળ, પ્રપંચ, વિશ્વાસઘાત, આર્તધ્યાન વિગેરેથી તિર્યંચાયું બંધાય છે. મનુષ્યાય : સરળતા, સંતોષ, વિનય. ઉદારતા. પરોપકારવૃત્તિ કષાય-વિષયની મંદતા, અલ્પ આરંભ પરિગ્રહ તેમાં સંતોષ જેવા સદ્દગુણોથી મનુષ્યાય બંધાય છે. દેવાયુઃ સરાગ સંયમ, બાળ તપ, અજ્ઞાનમય ધર્મક્રિયા દેશવિરતિ જેવા કારણોથી દેવાયુ બંધાય છે. ૪ ૧૦૪ % Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138