Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti

View full book text
Previous | Next

Page 25
________________ વિદ્યાભ્યાસ અને વકીલાત ૩૫ અવાજ શાવર્કશા ગોકુલ ગોકુલ શાવકશા નવભારતના ભાગ્યવિધાતા : ભાઈ મોહનલાલે મારી ઓળખાણ આપતાં કહ્યું કે, અંગ્રેજોની આબેહુબ નકલ કરતો તે, સત્ય છે. શિક્ષણ આપવામાં આવતું કે, આ દેશના લોકો હલકા અને નાલાયક છે, અને આપણા ઉપર પરદેશીઓ સારા, અને આપણો ઉદ્ધાર કરવામાં સમર્થ છે, આવું આવું ઝેર બાળકોને પિવડાવવામાં આવતું. હું તો સાધારણ કુટુંબનો માણસ, મારી પાસે પૈસા નહીં એટલે વકીલાત કરી, પૈસા કમાઈ, વિલાયત જઈ, ભણવા જવાનો અને બહિષ્કાર થવાનો નિશ્ચય કર્યો. : એમના મનમાં એવું કે, સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા. ભણવાનું સસ્તું, અને કમાણી સારી, એવો ધંધો એલએલ.બી. થવામાં નહીં. : લાંબાં છ વરસ કાઢવાનાં. : તે પૈસા ક્યાંથી લાવે, એટલે ડિસ્ટ્રિક્ટ પ્લીડરનું ગોઠવ્યું. આ પરીક્ષા ઘરમાં રહીને-વાંચીને અપાય, કૉલેજ , નિશાળ કોઈ નહીં, એટલે જલ્દી વકીલ બનવાનું ઠરાવ્યું. : હા, હા. ૧૯૦૦ની સાલમાં જ એ વકીલ થયા. : ત્યારે એ રહેતા, કાશીભાઈ શામળભાઈને તાં – મામા ડુંગરભાઈ કાશીભાઈના પિતાના દોસ્ત. અહીં એક વાત બની. એની તો ઘણાને ખબર નથી. : શી ? કંઈ નવું કૌતુક ? : ના; એમના કૂણા હૃદયનો પરચો. : એમ ? તે શું ? કાશીભાઈને ત્યાં રહે, એવામાં ડુંગરભાઈનાં ધરમપત્ની છ મહિનાનું બાળક મૂકી ગુજરી ગયાં. : ઓય ખુદા ! : માનશો–વલ્લભભાઈએ એ બાળકની માતાની માફક ચાકરી કરી. એને પોતાની પાસે સુવડાવે, રાત્રે ઊઠીને બેત્રણ વાર દૂધ પિવડાવે. ટટ્ટી પિશાબ કરે તો કપડાં બદલે, નવડાવે, આ કઠોર હૃદયના કહેવાતા નવજુવાનની આ વાત, કેટલું કુણું દિલ ! : અરે, એમના કુમળા દિલનો તો અમને પણ અનુભવ છે. : આ કારણે ૩૨-'૩૩ની સાલમાં યરવડા જેલમાં ગાંધીજીને પણ આવા પ્રકારનો અનુભવ થયો હતો. એટલે તો ગાંધીજીએ વલ્લભભાઈને ‘હમારી માં'ના નામે સંબોધન કર્યું છે. ગાંધીજીની નહીં, બધા જેલના સાથીઓની, ચા-નાસ્તા બનાવવાની, રાંધવાની, ભલભલી ચાકરી કરી છે, રસોડાની વ્યવસ્થા પણ એમણે સંભાળી લીધી હતી. : આ બાબતની મને ખબર નહોતી. વાહ, અમે તો એમની કેટલીક ટચાકો સાંભળેલી. એમની કોમમાં, અને વળી ઘણી કોમમાં છોકરાની સગાઈ થાય ત્યારે મોટો દાયજો માંગવામાં આવે. ગોકુલ શાવકશા ગોકુલ શાવકશા ગોકુલ શાવકશા શાવકશા ગોકુલ શાવકશા ગોકુલ શાવકશા : બરાબર. : તિયારે વલ્લભભાઈ કહેતા સાંઢની બજારમાં કેટલી કિંમત ઊપજી-પાંચ હજાર કે સાત હજાર ? : અરે, એવા ટાણાટચકાની યાદીનો એક મોટો થોથો ભરાય. : તમે ટાણાટચકાની વાતો કરો છો. દસ વર્ષની વકીલાતમાં ગોકુલ : કાશીભાઈના પિતાજી ગુજરી જતાં, કાશીભાઈના આખા કુટુંબનો ભાર ડુંગરભાઈએ સમાવી લીધો. વલ્લભભાઈ ત્યારે ગોકુલ શાવકશા

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126