Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti

View full book text
Previous | Next

Page 72
________________ ૧૨૯ નવભારતના ભાગ્યવિધાતા નડિયાદથી વડોદરા જતી ગાડીઓમાં તો રોજ જ, ચોર અને પોલીસ બંને મળેલા. પશવો : હોય નહીં ! રામભાઈ : કેમ હોય નહીં. બહારવટિયા સાથે પોલીસ નહોતી ભળી ગઈ ? પોલીસને જ્યાં ઘી-કેળાં દેખાય તે જતાં કરે ? અને જ્યાં સરકાર આંખ આડા કાન કરે, ત્યાં તો પૂછવાનું જ શું? પશવો : ઠીક તો. રામભાઈ : આપણા નેતા શ્રી વલ્લભભાઈ પટેલ સાહેબે આ ચોરી અટકાવવાનું કામ માથે લીધું. ગામે ગામ ફરી, સ્વયંસેવકો ગોઠવી, એવી ચોરીઓ ન થાય એ માટે પાકો બંદોબસ્ત કર્યો. સરકારને કહ્યું કે તમારી પોલીસ ખસેડી લ્યો. પશો : સરકારે ખસેડી ? રામભાઈ : ખસેડી લીધી. ત્યાં આપણા સ્વયંસેવકો કામે લાગી ગયા. સરકારે એ માટે પણ દંડ નાંખે તો તે પણ ખસેડવા ઠરાવ કર્યો. પશવો : એમ ? રામભાઈ : આ રહી હકીકત. કમિશનર સાહેબ ભરૂચમાં હતા. ત્યાં શ્રી વલ્લભભાઈ સાહેબે અબ્બાસ સાહેબને ગુજરાત પ્રાંતિક સમિતિના ઠરાવનો કાગળ લઈને મોકલ્યા. પશવો : એમાં શું લખ્યું હતું ? રામભાઈ : કે ચોરીઓ સદંતર અટકી છે. હવે એ દંડ નાબૂદ થવો જોઈએ. નહીં નાબૂદ કરો તો અમે હવે એ દંડ નહીં ભરવા માટે સત્યાગ્રહ કરીશું. પશવો : પરિણામ ? બોરસદના સરદાર અને હડિયા વેર હઠ. તે કહે સત્યાગ્રહ કરવાની ધમકીનું વાક્ય કાઢી નાંખો તો દંડ માફ કરું. પશવો : હા....આ.....આ... રામભાઈ : તો અબ્બાસ સાહેબ કહે, એ તો સાહેબ અમારા નેતા અને ગુજરાત સભાના પ્રમુખ શ્રી વલ્લભભાઈ પટેલની રજા વિના આ કાગળમાંથી એક કાનો-માતર પણ ન ફરે.. પશવો : અચ્છા ! રામભાઈ : કમિશનર સાહેબે વખત પારખી લીધો. દંડ નાબૂદ કરવાનું કબૂલ કર્યું. આમ ધનુષના ટંકાર માત્રથી કામ પતી ગયું. સત્યાગ્રહનું બાણ ચઢાવવાની જરૂર જ ન પડી. પશવો : વલ્લભભાઈ સાહેબના નામથી જ સરકાર બીધી. બધા : બોલો શ્રી વલ્લભભાઈ પટેલની જય. રામભાઈ : કમિશનર એટલે ગોરું લોહી. બ્રિટિશ પ્રજાની જક્કી મનોદશાની

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126