Book Title: Nav Bharatna Bhagya Vidhata Sardar Vallabhbhai Patel
Author(s): Chandravadan Mehta
Publisher: Sardar Vallabhbhai Patel 125mi Janma Jayanti Ujavani Samiti

View full book text
Previous | Next

Page 78
________________ ૧૪ ૧૪૧ નવભારતના ભાગ્યવિધાતા ગંદી વર્તણૂકને ચૂંથાય પણ નહીં. ચૂંથીએ તો એમાંથી બદબો જ છૂટ્યા કરે. એની ઉપર ધૂળ નાંખીએ તો સારું પરિણામ પણ નીપજે. મારકંડ : અને સારું પરિણામ આવ્યું જ. કિશોર : શું થયું ? મારકંડ : પેલા બે વ્યાપારીઓને ભારે પશ્ચાત્તાપ થયો. તે ભરી એટલી રકમ દાનમાં આપી ગયા. સરદારે બહિષ્કારની વ્યાખ્યા કરી તે મનમાં ઉતારવા જેવી છે. સાંભળો ! કહો ખુશાલભાઈ, ખુશાલભાઈ : બહિષ્કાર હિંસક અને અહિંસક હોઈ શકે છે. એની સેવા ન લેવી તે અહિંસક બહિષ્કાર. અને સેવા ન દેવી તે હિંસક બહિષ્કાર. દાખલા તરીકે, બહિષ્કૃતને ત્યાં જમવા ન જવું, વિવાહ આદિ પ્રસંગોમાં ન જવું તે અહિંસક, પણ એ માંદો હોય તો એની સારવાર ન કરવી, એ હિંસક બહિષ્કાર છે. માર કંડ : ખુશાલભાઈ, પેલી નોટિસો ચોઢાઈ, સરકારે જમીનો ખાલસા કરવા માંડી ત્યારે સરદાર સાહેબનાં ભાષણોમાંથી કેવો અગ્નિ ઝરતો, તે તો સંભળાવો. ખુશાલભાઈ : “બારડોલી ખેડૂતોની લડાઈ મારફત હું ગુજરાતના તમામ ખેડૂતોને પાઠ આપવા માગું છું, કે સરકારનું રાજ્ય કેવળ તમારી નબળાઈ ઉપર જ ચાલે છે. એક બાજુ થી વિલાયતથી સાઈમન કમિશન, હિન્દુસ્તાનને જવાબદાર તંત્ર આપવા આવે છે; અહીં બીજી બાજુ, સરકાર જમીનો ખાલસા કરવા નીકળી છે. આ બધા તડાકા છે. ખેડૂતે જરા પણ ડરવાનું કારણ નથી. ખેડૂતની જમીન બાપદાદાની છે. એ કાચો પારો છે. જે લેશે એને ફૂટી નીકળશે. જો સરકાર જમીનો ખાલસા કરશે, ત્યારે અંગ્રેજનું રાજ્ય નહીં હોય. લૂંટારાનાં રાજ્ય હશે. જોયા કરો. અધિકારીઓનું આ બારડોલી “ભારતકી થર્મોપોલી” રાજ્ય તો જવા બેઠું છે. એને બારણે આજે ચપરાશી પણ મળવો મુશ્કેલ છે. એ રાજ્ય શું કરવાનો છે ?” મારકંડ : ખુશાલભાઈ, તમે આ વાક્ય ભૂલી ગયા. સાંભળો, જંગલમાં કોઈ ગાંડો હાથી રુમેખુશાલભાઈ : રમે.... મારકંડ : હા, રમે. શો શબ્દ છે ! “જંગલમાં કાંઈ ગાંડો હાથી રમે અને તેની હડફેટમાં જે કાંઈ આવે તેને છુંદી નાંખે. એવી મદમત્ત આ સરકાર બની છે. ગાંડો હાથી માને કે જેણે વાઘ-સિંહોને માર્યા છે, એવાને આ મગતરાનો શો હિસાબ. પણ હું આપણા કહેવાતા મગતરાને કહું છું કે, હાથીને રુમવું હોય એટલું રૂમી લેવા દે, અને લાગ જોઈને એના કાનમાં પેસી જા.” ખુશાલભાઈ : આના સરકારી સિપાઈડા નોંધ કરે, એના ઠોઠી જેવા કારકુનો અંગ્રેજી કરે, તે મુંબાઈથી પૂના, પૂનાથી મુંબાઈ, અને ત્યાંથી લંડનની પાર્લામેન્ટમાં જાય. મારકંડ : એમાં કોને સમજણ પડે ? ખુશાલભાઈ : મારકંડભાઈ, ત્યાં હાથી જ નહીં, તો રુમે તો એનું અંગ્રેજી કરે કોણ ? બધાને બોલ્ઝાવિકની જ ભડક. એ જ એમનો હાથી. મારકંડ : હવે આ જુઓ –‘મોટા ઘડામાંથી સંખ્યાબંધ ઠીકરીઓ બને છે; છતાં એમાંની એક જ ઠીકરી આખા ઘડાને ફોડવા પૂરતી છે. ઘડાથી ઠીકરી ડરે શા સારુ ? અંગ્રેજને અહીં રાજ કરવું હોય તો ગોરા લાવવા પડશે. એને બંગલા જોઈએ, બગીચા જોઈએ, એનો ખોરાક જુદો, એની હાજત જુદી, એનો ધોબી જુદો, એની સફાઈ કરનારા જુદા ગણો. આ તાલુકાના દર ગામે બબ્બે ગોરા રાખે તો તાલુકાના પાંચ લાખ વસૂલ કરતાં કેટલા ગોરા રાખવા પડે ! એની ગણતરી, એનું ખર્ચ સરકારને પોષાય જ નહીં.' ખુશાલભાઈ : સરદારે તો બારડોલીને માટીમાંથી ખેડૂતોને મરદ બનાવ્યા.

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126