________________
ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ ૨ લોભમદથી - સુભૂમ ચક્રવતીને બીજા છ ખંડ સાધવા જતા
પ્રાણ ખોવા પડ્યા. ૩ કુળમદથી - મરિચિ-પ્રભુ મહાવીરનો જીવ નીચ કુળમાં આવી
ઉત્પન્ન થયો. ૪ ઐશ્વર્યમદથી - દશાર્ણભદ્રને પરાભવ થયો. ૫ બળમદથી - બાહુબળે ભરતરાજા સાથે યુદ્ધ કર્યું. દ રૂપમદ - સનતકુમાર ચક્રવતીને થયો. ૭ તપમદ - કુરગડુ મુનિ (સાથે રહેલા ચાર) મુનિઓને થયો. ૮ શ્રતમદ - સ્થૂલભદ્રજીને થયો તેથી ચાર પૂર્વ અર્થ વગર થઈ
શક્યા.
5 આઠ સિદ્ધિઓનો પ્રભાવ ક ૧ અણિમા સિદ્ધિ - એનાથી શરીર એટલું સૂકમ કરી શકાય છે કે
જેમ સોયના કાણામાંથી દોરો ચાલ્યો જાય છે, તેમ તેટલી
જગ્યામાંથી પોતે પસાર થઈ શકે. ૨ મહિમા સિદ્ધિ - અણિમાંથી ઉલટી. એટલું મોટું રૂપ કરી શકે કે
મેરુપર્વત પણ તેના શરીર આગળ નાના પ્રમાણનો થાય. ૩ લધિમાસિદ્ધિ - પવનથી પણ વધારે હલકો (તોલમાં) થાય છે. ૪ ગરિમા સિદ્ધિ - વજથી પણ અત્યંત ભારે થઈ જાય. એ ભારે
એટલો બધો થાય કે ઇદ્રાદિક દેવતા પણ સહન કરી શકે નહિ. ૫ પ્રાપ્તશકિત સિદ્ધિ - શરીરની ઉંચાઈ એટલી કરી શકે કે ભૂમિ
ઉપર રહ્યાં છતાં અંગુલીના અગ્ર ભાગ વડે મેરુ પર્વતની ટોચ
અને ગ્રહાદિકને સ્પર્શે. (વેક્રિય શરીરથી નહિ) ૬ પ્રાકામ્યસિદ્ધિ - પાણીની પેટે જમીનમાં ડુબકી મારી શકે અને
જમીનની પેઠે પાણીમાં ચાલી શકે. ૭ ઈશિત્વ સિદ્ધિ - ચક્રવર્તી અને ઇદ્રની ઋદ્ધિ પ્રગટ કરવાને શક્તિમાન થાય.
પિપ૭
-
-
પપ૭