Book Title: Narendra Nauka
Author(s): Vidyutprabhashreeji
Publisher: Suthari Jain Sangh

View full book text
Previous | Next

Page 608
________________ સુવાક્યો ૪ પૌષધ પ્રતિમા :- ત્રણે પ્રતિમા સહિત, આગાર રહિત અતિચાર ન લાગે તેવી રીતે ચારે આહારનો ત્યાગ, બ્રહ્મચર્ય પાલન, શરીરશોભાનો ત્યાગ અને સાવદ્યારંભના ત્યાગરૂપ મહિનામાં પાંચ પૌષધ કરવા, આવો ચાર મહિના સુધી નિશ્ચય કરવો તે. ૫ કાયોત્સર્ગ પ્રતિમા :- ચારે પ્રતિમાના નિયમો સાથે, પાંચ દિવસ કરેલ પૌષધને દિવસે આખી રાત્રી સુધી ઉભા-ઉભા કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેવું, આવો પાંચ મહિના સુધી અભિગ્રહ કરવો તે. દ બ્રહ્મચર્ય પ્રતિમા :- પૂર્વના પાંચે અભિગ્રહપૂર્વક, અતિચાર રહિત મન, વચન અને કાયાથી શુદ્ધ બ્રહ્મચર્ય પાળવું, વસ્ત્રાદિની શોભાનો ત્યાગ કરવો, આવો છ મહિના સુધી દૃઢ અભિગ્રહ કરવો તે. ૭ સચિરત્યાગ પ્રતિમા :- પ્રથમની છ પ્રતિમા સહિત સચિત્ત આહારનો ત્યાગ કરવો અને અચિત્ત આહારાદિ પણ જરૂર વખતે કરવો, આવો મનમાં સાત મહિના સુધી દૃઢ સંકલ્પ કરવો ૮ આરંભત્યાગ પ્રતિમા :- સાત પ્રતિમાના નિયમો સહિત દેહનિર્વાહાથે સાવદ્યારંભનો ત્યાગ કરવો પરંતુ શરીરના પોષણ અર્થે નોકરાદિપાસે આરંભ કરાવવાની છૂટ રાખવી. આવો આઠ મહિના સુધી અભિગ્રહ કરવો તે. ૯ પૃષ્યઆરંભ વર્જન પ્રતિમા :- પૂર્વની બધી પ્રતિમા સાથે નોકરાદિ પાસે પોતાના માટે કોઈ જાતનો આરંભ ન કરાવવો પણ સ્વાભાવિક બીજાએ વગર પૂછયે પોતાને માટે કરેલ આહારાદિમાં સંતોષ પામવો; આવો નવ મહિના સુધી દૃઢ નિયમ લેવો તે. ૧૦ ઉશિક આહાર ત્યાગ પ્રતિમા :- પહેલાની નવ પ્રતિમા પાળતો છતો પોતાના સંબંધીઓ ને પોતાના માટે કરેલ આહારાદિનો ત્યાગ કરવો, તથા જાણીતા પોતાના સંબંધીઓને ત્યાં પ૭૭)

Loading...

Page Navigation
1 ... 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642