Book Title: Narendra Nauka
Author(s): Vidyutprabhashreeji
Publisher: Suthari Jain Sangh
View full book text
________________
ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ
ત્યાગ કરીને એક નિષ્ઠાથી કરે તે. ૨ ભક્તિ અનુષ્ઠાન, ધર્મના કાર્યમાં બહુમાનપૂર્વક કરવું તે. ૩ વચનાનુષ્ઠાન, બધા ધર્મ કાર્યમાં આગમને અનુસારે પ્રવૃતિ કરવી તે. ૪ અસંગાનુષ્ઠાન, અત્યંત અભ્યાસથી ચંદન ગંધના ન્યાયે સહજ ભાવે જે ક્રિયા કરાય તે અનુષ્ઠાન એટલે ક્રિયા.
પ્રશ્ન :- પાંચ ક્રિયા કઈ ?
ઉત્તર ઃ૧ વિષાનુષ્ઠાન-પૌદ્ગલિક સુખની આ ભવમાં ઈચ્છા કરાય તે. ૨ ગરાનુષ્ઠાન - દેવ, ચક્રવર્તી, રાજા વિગેરે થવાની પરભવની ઈચ્છાથી થાય તે. ૩ અનનુષ્ઠાન - ઓઘસંજ્ઞા કે લોકસંજ્ઞાથી સંમૂર્ચ્છિમની પેઠે ક્રિયા કરાય તે. ૪ તદ્ભુતુ અનુષ્ઠાન આશંસા રહિત મોક્ષના ઉદ્દેશથી જ કરાતું હોય તે. તેવા જીવો ચરમાવર્તમાં આવેલા જાણવા. ૫ અમૃતાનુષ્ઠાન ચંદન ગંધની માફક સ્વાભાવિક શુદ્ધ એવો ભાવધર્મ જેના હૃદયમાં હોય તે.
-
પ્રશ્ન :- નવ નારૂં અને નવ કારૂં તે અઢાર વર્ણ કયા ?
ઉત્તર ઃ- નવ નારૂં તે આ પ્રમાણે ૧ ઘાંચી, ૨ મોચી, ૩ ઘાંચ્છા, ૪ ધોબી, ૫ લુહાર, ૬ દરજી, ૭ માછા, ૮ ભિલ્લુ, ૯ ગોવાલ, અને કારૂં તે આ પ્રમાણે - ૧ કાંદવિક, ૨ કૌટુંબિક, ૩ કુંભાર, ૪ સોની, ૫ માલી, ૬ તંબોલી, ૭ હજામ, ૮ કાછિક, ૯ ગાંધર્વ એ અઢાર વર્ણ.
પ્રશ્ન :- પાંચ પ્રકારનો આહાર કયો ?
ઉત્તર ઃ- ૧ અરસ-લુણ વગરનો, ૨ વિરસ-જીના ધાન્યનો, ૩ અંત-તે જમી લીધા પછી વધ્યો હોય તે, ૪ પ્રાંત-તે તુચ્છ આહાર, ૫ લુખો-તે વિગય રહિત.
પ્રશ્ન :- વીશ પ્રકારના અસમાધિના સ્થાનક કયા ?
(દશશ્રુતસ્કંધ સૂત્ર)
ઉત્તર ઃ- ૧ ઉતાવળું ચાલે, ૨ પૂંજ્યા વિના ચાલે, ૩ દુષ્ટ રીતે પૂંજે, ૪ વધુ આસનો રાખે, ૫ વડા-વડીલની સામું બોલે, ૬
૫૮૩

Page Navigation
1 ... 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642