Book Title: Narendra Nauka
Author(s): Vidyutprabhashreeji
Publisher: Suthari Jain Sangh
View full book text
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ૪ કોશ, ૫ રાષ્ટ્ર, ૬ દુર્ગ (કીલ્લો), ૭ સૈન્ય.
૭ પ્રકારે ભય :- ૧ મનુષ્યને મનુષ્યથી ભય તે-ઈહલોક ભય. ૨ મનુષ્યને દેવાદિનો ભય તે-પરલોક ભય. ૩ ધનાદિ ગ્રહણનો ભય તે આદાનભય. ૪ બાહ્યનિમિત્તથી નિરપેક્ષ એવો ભય તે-અકસ્માત ભય. ૫ આજીવિકા ભય. ૬ મરણ ભય અને ૭ અપયશ કે અપકીતિનો ભય.
૭ માંડલી :- ૧ સૂત્ર (સ્વાધ્યાય), ૨ અર્થ (વ્યાખ્યાન અર્થપૌરૂષી), ૩ ભોજન, ૪ કાલ (કાલપ્રવેદન), ૫ આવશ્યક (ઉભયકાલીન પ્રતિક્રમણ), ૬ સ્વાધ્યાય (સ્વાધ્યાય પ્રસ્થાપનસક્ઝાય પઠવવી), અને ૭ સંતારક (સંથારાપોરસ).
ષડ્રદર્શન - ૧ જૈન દર્શન, ૨ મીમાંસક, ૩ બૌદ્ધ, ૪ નૈયાયિક, ૫ વૈશેષિક અને ૬ સાંખ્યદર્શન.
૬ “રી :- ૧, અંકલઆહારી, ૨ ભૂમિસંથારી, ૩ પાદવિહારી, ૪ શુદ્ધસમ્યકત્વધારી, ૫ સચિત્તપરિહારી, અને ૬ બ્રહ્મચારી.
ષવિદ્ય ભાષા :- ૧ સંસ્કૃત, ૨ પ્રાકૃત, ૩ શૌરસેની, ૪ માગધી, ૫ પૈશાચિકી અને ૬ અપભ્રંશ.
પાંચ અભિગમ :- તીર્થંકર પ્રભુને ભેટવા જતાં ખાસ સાચવવા જોઈએ તે આ પ્રમાણે-૧ સચિત્ત દ્રવ્યનો ત્યાગ, ૨ અચિત્ત વસ્ત્રાભૂષણાદિનો અત્યાગ, ૩ મનની એકાગ્રતા, ૪ એક સાડી ઉત્તરાસંગ અને ૫ પ્રભુનું દર્શન થતાં બે હાથે અંજલિ જોડવી, (રાજાએ સાથે ખડ્ઝ, છત્ર, ઉપાનહ (મોજડી) મુકુટ અને ચામર એ પાંચ વસ્તુનો ત્યાગ કરવો.)
ગૃહસ્થના ૫ કસાઈ સ્થાનો :- ખાણીયો, ઘંટીચૂલો, પાણીયારું અને સાવરણી.
હવે પાંચ ઈન્દ્રિયમાં કેટલી ભોગી છે? અને કેટલી કામી છે? બે ઈન્દ્રિય કામી છે અને ત્રણ ભોગી છે. ૧ ચહ્યું અને ૨ શ્રોત્રેન્દ્રિય કામી છે. તથા ૧ ધ્રાણેન્દ્રિય, ૨ રસનેન્દ્રિય અને
પિ૯૨)
.

Page Navigation
1 ... 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642