Book Title: Narendra Nauka
Author(s): Vidyutprabhashreeji
Publisher: Suthari Jain Sangh

View full book text
Previous | Next

Page 611
________________ અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા 5 મુનિની દશવિધ ચક્રવાલ સામાચારી , ૧ ઈચ્છાકારક - અમુક કાર્ય તું તારી ઈચ્છા પ્રમાણે કર, એમ ગુર્વાદિક મોટા જે આદેશ આપે તે પોતાની ઈચ્છાએ કરવું ૨ મિચ્છાકાર - તે અનાભોગને લીધે તીર્થકરાદિકની આજ્ઞા વિરૂદ્ધ કાંઈ બોલાયું હોય તે મિથ્યા દુષ્કત આપે. ૩ તહક્કાર - તે ગુર્નાદિકે સૂત્ર અને અર્થ વિગેરે કહે છતા અથવા બીજું કાંઈ કાર્ય બતાવે છતા ડાહ્યા સાધુઓ તહત્તિ (બહુ સારૂ) કહે છે. ૪ આવસ્સિયા - તે અવશ્ય કરવા લાયક યોગ વડે જ કરવામાં આવે છે તે આવશ્યકી કહેવાય છે. તે આવશ્યકીનો શ્રેષ્ઠ મુનિઓ ઉપાશ્રયાદિકથી બહાર નીકળે ત્યારે તેમ બોલવા પણે ઉપયોગ કરે છે. ૫ નિસિહિયા - અપ્રસ્તુત કાર્યનો નિષેધ કરવાથી જે ઉત્પન્ન થાય છે. નિષેધિકી કહેવાય છે. તે નિષેલિકીનું કાર્ય કરીને ઉપાશ્રયાદિ પ્રવેશ કરતી વખતે મુનિઓ ઉપયોગ કરે છે. ૬ આપુચ્છણા - કાંઈ પણ કાર્ય કરવાની ઈચ્છા થાય ત્યારે તેને માટે ગુરુને જે પુછવું તે આપુચ્છણા કહેવાય છે. ૭ પડિપુછણા - તે કાર્ય કરતી વખતે ફરીથી ગુરુને જે પુછવું તે પ્રતિકૃચ્છના કહેવાય છે. ૮ છંદણા - સાધુએ પોતે પ્રથમ જે આહારાદિક આપ્યું હોય તે લેવા માટે ગુરુની પાસે પ્રથમ જે પ્રાર્થના કરવી તે. ૯ નિમંત્રણા - તે હું આપના માટે અનાદિક લાવું મને આપ આજ્ઞા આપો તે નિમંત્રણા કહેવાય છે. ૧૦ ઉપસંપદા - તે જ્ઞાનાદિક શિખવા માટે કેટલીક વખત અન્ય ગચ્છના આચાર્ય વિગેરેની સેવા કરવી તે. દશ પ્રકારની સામાચારી નવમા પૂર્વમાંથી ઉદ્ધરેલી છે. ૫૮O

Loading...

Page Navigation
1 ... 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642