Book Title: Narendra Nauka
Author(s): Vidyutprabhashreeji
Publisher: Suthari Jain Sangh

View full book text
Previous | Next

Page 597
________________ અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા સંજવલન કાળથી પન્નર દિવસ રહેનાર, ગતિથી દેવગતિ આપનાર અને ગુણથી યથાખ્યાત ચારિત્રગુણને રોકનાર છે. ૫ આયુષ્ય :- જે કર્મ જરૂર ભવાન્તરને પમાડે તે, આના ચાર ભેદ છે. ૧. નરકાયુષ્ય, ર. તિર્યંચ આયુષ્ય; ૩. મનુષ્ય આયુષ્ય અને ૪. દેવ આયુષ્ય. આની ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની અને જઘન્યથી અન્તર્મુહૂતની સ્થિતિ છે. આ કર્મ ચોરને નાંખેલ બેડી જેવું છે. આ કર્મ જીવના અક્ષય-સ્થિતિ ગુણને રોકે છે. દ નામકર્મ :- જે કર્મ જુદાજુદા રૂપને આપે છે. આના એકસોને ત્રણ ભેદો છે. ૪. ગતિ, ૫ જાતિ, ૫ શરીર, ૩ ઉપાંગ, ૧૫ બંધન, પ સંઘાતન, ૬ સંસ્થાન, ૬ સંઘયણ, ૫ વર્ણ, ૨ ગંધ, પ રસ, ૮ સ્પર્શ, ૪ આનુપૂર્વી અને ર વિહાયોગતિ સર્વ મળી પંચોતેર ભેદ થયા. ૭૬ પરાઘાત, ૭૭ ઉશ્વાસ, ૭૮ આતપ, ૭૯ ઉદ્યોત, ૮૦ અગુરુલઘુ ૮૧ નિર્માણ, ૮૨ ઉપઘાત, ૮૩ તીર્થકર, ૮૪ થી ૯૩ ત્રશદશક. (૧ ત્રસ, ૨ બાદર, ૩ પર્યાપ્ત, ૪ પ્રત્યેક, ૫ સ્થિર, ૬ શુભ, ૭ સૌભાગ્ય, ૮ સુસ્વર, ૯ આદેય અને ૧૦ યશઃ) અને ૯૩ થી ૧૦૩ સ્થાવરદશક (૧ સ્થાવર, ૨ સૂક્ષ્મ. ૩ અપર્યાપ્ત, ૪ સાધારણ, ૫ અસ્થિર, ૬ અશુભ, ૭ દુર્ભાગ્ય, ૮ દુઃસ્વર, ૯ અનાદેય, ૧૦ અપયશઃ) આની ઉત્કૃષ્ટ વિશ કોટી કોટી સાગરોપમ અને જઘન્યથી આઠ મુહૂર્તની સ્થિતિ છે. આ કર્મ ચિતારાના જેવું છે. આ કર્મ જીવના અરૂપગુણને રોકે છે. ૭ ગોત્રકર્મ :- જે કર્મ ઉચ્ચ-નીચપણાને આપે છે. આના બે ભેદ છે. ૧ ઉચ્ચગોત્ર અને ૨ નીચગોત્ર. આની ઉત્કૃષ્ટ વસ કોડાકોડી સાગરોપમની અને જઘન્યથી આઠમુહૂર્તની સ્થિતિ છે. આ કર્મ કુંભારના જેવું છે. આ કર્મ જીવના અગુરુલઘુગુણને રોકે છે. ૮ અન્તરાયકર્મ :- જે કર્મ ઈચ્છાપૂર્વક દાનાદિ ન કરવા દે તે. આના પાંચ ભેદ છે. ૧ દાનાન્તરાય, ૨ લાભાન્તરાય, ૩ ભોગાન્તરાય, ૪ ઉપભોગાન્તરાય અને ૫ વર્યાન્તરાય. આની ૧૫૬૬) ૫૬ ૬

Loading...

Page Navigation
1 ... 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642