Book Title: Kumarpal Charitra Part 02
Author(s): Ajitsagarsuri
Publisher: Mahudi Jain SMP Sangh

View full book text
Previous | Next

Page 338
________________ જીવ અને અજીવ ૨૯૯ જૈન મતમાં જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ, એમ સાત તવ કહેવાય છે. તેમાં જ્ઞાનદર્શનાત્મક, અનાદિઅનંત, કર્તા, ભક્તા અને પરિણામી એવા જીવે છે, એમ શ્રી જિદ્રભગવાને કહ્યું છે. વળી તે જીવે સંસારી અને મુક્તના ભેદવડે બે પ્રકારના કહેલા છે. તેઓમાં સંસારી જીવો સ્થાવર અને વસ, એવા ભેદવડે બે પ્રકારના છે. તેમાં પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ સ્થાવર છે. એકેદ્રિય હોય છે. તેમાં પ્રથમના ચાર સૂક્ષમ અને બાદર પણ હોય છે. અને વનરપતિ છે તે પ્રત્યેક અને સાધારણ ભેદવડે બે પ્રકારના હોય છે. તેમાં પ્રત્યેક વનરપતિકાય તે બાદર જ હોય છે. અને સાધારણ તો સૂક્ષમ અને બાદર હોય છે. બે ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને પંચેદ્રિયપણાથી ત્રસ જીવે ચાર પ્રકાસ્ના હોય છે. તેમાં શંખ, જલેઈ અને ર્કમી આદિ જી દ્વિદ્રિય જાણવા. લીક્ષા-લિખ, કીડી, યૂકા–જુ, અને કુંથુ આદિ ત્રિક્રિય જાણવા. તેમજ ભ્રમર, મક્ષિકા અને દંશ વિગેરે ચતુરિંદ્રિય જાણવા. બાકીના તિર્યંગ, નરયિક, મનુષ્ય અને દેવતાઓ પંચંદ્રિય જાણવા વળી તેઓ પણ સંજ્ઞી અને અસ શી એમ બે પ્રકારના છે. સમનસ્ક હોવાથી જેઓ શિક્ષા-ઉપદેશ વિગેરેને જાણે છે, તે સંજ્ઞી જાણવા. બાકીને અસંસી જાણવા. આયુષ, ઉચ્છવાસ, પાંચઈદ્રિય તેમજ મન, ભાષા અને આયુ એ દશ પ્રાણબલના સંબંધથી જીવેને પ્રાણી કહેલા છે. એ કેંદ્રિયમાં ચાર, દ્વીંદ્રિયમાં છે, ત્રીદિયમાં સાત, ચતુરિંદ્રિયમાં આઠ, અસંજ્ઞી પંચેંદ્રિયમાં નવ અને સંજ્ઞી પંચેંદ્રિયમાં દશ પ્રાણ કહ્યા છે.

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384