Book Title: Hit shiksha Chattrisi
Author(s): Dharmdhurandharsuri
Publisher: Shrutprasarak Sabha

View full book text
Previous | Next

Page 13
________________ હિતશિક્ષા સંસ્કાર પડવાનો સંભવ છે. માટે મૂર્ખ માણસોનો સંગ ન કરવો. બાલક સાથે સંગ ન કરવો – બાલકની સાથે સંગ કરવાથી ઉપરના કેટલાક દોષો તો આવે છે, સાથે વધારામાં બાળચેષ્ટાઓ પણ આવે છે. કેટલાક શિક્ષકોમાં પંતુજીપણું કે વેવલાપણું જ જોવામાં આવે છે, તે બાળકો સાથેના સતત સંસર્ગનું પરિણામ છે. બાળકો સાથેના સંસર્ગથી કેટલીક અનિચ્છનીય ચેઓ ઘર કરી જાય છે અને તેથી છતી શક્તિએ માણસ આગળ વધી શકતો નથી. પ્રગતિ અને વિકાસ ઈચ્છનારે ખાસ કરીને બાળકોના સંસર્ગથી દૂર રહેવું. [૬] યાચકની સોબત ન કરવી – યાચકોની આજીવિકા ભિક્ષા છે. ભિક્ષા માગવી એ ગૃહસ્થાશ્રમનું મોટામાં મોટું દૂષણ છે. ગૃહસ્થ ભિક્ષા આપનાર હોય; નહિ કે લેનાર. ગૃહસ્થનું સત્ત્વ ચૂસનાર પ્રબલમાં પ્રબલ કોઈ હોય તો તે ભિક્ષા છે. વાચકના સંસર્ગથી ગૃહસ્થ એ ભાન ભૂલી જાય છે ને તેનામાં તે દહાડે યાચકવૃત્તિ જાગે છે. માટે યાચકની સોબત ન કરવી. [૭] વ્યસની સાથે સંગ કરવો નહિ – વ્યસની સાથેના સંસર્ગથી વ્યસનો ભેટ મળે છે. વિશ્વમાં વ્યસનોનું સામ્રાજ્ય જે ફેલાવ્યું છે તેમાં મુખ્ય કારણ કોઈ હોય તો તે વ્યસનીનો સંગ છે. વ્યસનાધીન સર્વ દુઃખ છે. દુઃખી થવા ન ઈચ્છનારે સત્વર વ્યસનીનો સંગ છોડી દેવો જરૂરી છે. [૮] કારુનો સંસર્ગ ન કરવો – કારુનો અર્થ શિલ્પી થાય છે. શિલ્પી એટલે કારીગર. તેના સંસર્ગથી વ્યવહારુ બુદ્ધિ ઘટે છે. કારીગરો મોટે ભાગે અવ્યવહારુ હોય છે. અમુક આદતો અને આળસ કારીગરના સહચારી છે એટલે તેના સંસર્ગથી તે પણ આવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 142