Book Title: Hit shiksha Chattrisi
Author(s): Dharmdhurandharsuri
Publisher: Shrutprasarak Sabha

View full book text
Previous | Next

Page 70
________________ છત્રીશી: ૧૬-૧-૧૮ ૬૩ સમકિત દાયક ગુરુ તણો. પચ્ચવવાર ન થાય; ભવ કોડાકોડે કરી, કરતાં સર્વ ઉપાય'. || 1 | એ ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજી મહારાજનું કથન પણ ગુરુ પ્રત્યે બહુમાન કેવું રાખવું જોઈએ તેનું વિશિષ્ટ માર્ગદર્શન કરાવે છે. આમ દેવ અને ગુરુને પ્રભાતમાં સંભારવાથી તેમને પ્રણામ કરવા, તેમના ગુણો વિચારવા, તેમના ઉપકારનું સ્મરણ કરવું એ કર્તવ્ય છે – પરમ કર્તવ્ય [૫૮] બે હાથ ખણવું નહિ – માથામાં કચરો ભરાય, માથામાં ખોડો થઈ જાય અથવા કોઈ એવો ચામડીનો રોગ થાય ત્યારે માથું ખણવાનું મન થાય છે. માથું ખણવામાં તે તે કારણો દૂર કરવામાં પ્રમાદ કરવો અને માથું ખણ્યા. કરવું એ જડતા છે. કદાચ તે તે કારણો તરત દૂર ન થઈ શકે તેમ હોય ને માથું ખણ્યા વગર ન રહી શકાતું હોય તો ધીરે ધીરે એક હાથે માથાની ખજવાળ શાંત કરવી એ વાજબી છે; પણ બે હાથે માથું ખંજવાળવું એ સારું નથી. - જ્યારે બે હાથે માથું ખંજવાળવું પડે છે ત્યારે બન્ને હાથ ઊંચા કરવા પડે છે. પછી જેમ જેમ ખજવાળ વધતી જાય છે તેમ તેમ હાથની ગતિ પણ વધતી જાય છે. આમ કોઈ બે હાથે માથું ખંજવાળતું હોય ત્યારે તેનું દશ્ય ઘણું જ વિરૂપ લાગે છે, તે જોવું ગમતું નથી. બીજાના મન ઉપર એ દયની ઘણી જ ખરાબ છાપ પડે છે. બે હાથે માથું ખણવાથી – વધુ પડતું ખણવાથી માથું નબળું પડી જાય છે. એક તો માથું કાંઈક નબળું પડ્યું હોય ત્યારે ખણવાનું મન થાય છે અને જેમ જેમ ખણવામાં આવે તેમ તેમ ખજવાળ વધે છે. વિશેષ ખજવાળ થાય ત્યારે માથાની નબળાઈ વધી જાય છે. માથાની નબળાઈ એ બીજી કોઈ પણ નબળાઈ કરતાં ભયંકર છે. એટલે ખજવાળને દૂર કરવાના ઉપાયો લેવા એ હિતાવહ છે પણ ખજવાળ વધે એવા ઉપાયો – બન્ને હાથે ખણવા જેવા – લેવા એ હિતકર નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142