Book Title: Hit shiksha Chattrisi
Author(s): Dharmdhurandharsuri
Publisher: Shrutprasarak Sabha

View full book text
Previous | Next

Page 122
________________ છત્રીશી: ૨૮-૩૧ ૧૧૫ [૨૬] રાતે જમવું નહિ – રાતે જમવાથી પોતાના જીવન અને પારકા જીવને હાનિ થાય છે. રાતને તમસ્વિની કહેવામાં આવે છે. એટલે રાતે અંધારું હોય. તેમાં દીપક આદિનો પ્રકાશ કરવામાં આવે ને અંધારું દૂર થાય પણ તે પ્રકાશ સૂર્ય જેવો તેજસ્વી ને પથ્ય તો નથી જ. દિવા વગેરેથી એવું અજવાળું ન થાય કે જે અજવાળું સૂર્ય પાથરે છે. એટલે રાત્રિના અંધારામાં નાનાં નાનાં જંતુઓ જો ભોજનમાં આવી જાય તો ખબર પણ પડે નહિ અને તેથી તે તે જંતુઓનો પ્રાણનાશ થાય અને ખાનારને પાપબંધ થવા સાથે શરીરમાં અનેક પ્રકારના વ્યાધિઓ થાય. માખી આવી જાય તો ઊલટી થાય, કીડી આવી જાય તો બુદ્ધિનો નાશ થાય, કરોળીઓ આવી જાય તો કોઢ થાય, જૂ આવી જાય તો જલોદર થાય. કોઈ ઝેરીલાં જંતુ આવી જાય તો ખાનારાના પ્રાણનો પણ નાશ થાય. ચાતુર્માસ-વર્ષાકાળમાં તો ઝીણી ઝીણી જીવાતો એવી ઊડતી હોય છે કે તેથી ખૂબ ભૂખ લાગી હોય તો પણ ખાવા માટે મન મરી જાય. કોઈ કોઈ વખત તો માણસને ચીતરી ચડે એવું દશ્ય હોય છે. આવી સ્થિતિમાં રાત્રિભોજનનો ત્યાગ કરનાર આવા પ્રસંગોથી સહજ બચી જાય છે અને આત્મિક લાભ અપૂર્વ મેળવે છે. - રાત્રિ એ વિશ્રાંતિ લેવાનો સમય છે. તેમાં ખાવાની પ્રવૃત્તિ અને ધમાલ એ બંધબેસતું જ નથી. સારાં સારાં પક્ષીઓ પણ રાત થતાં શાંત થઈ જાય છે. રાતે ખાનારાની લગભગ અડધી રાત્રિ તે પાછળ વીતે છે. મોડી રાતે સૂનારા વહેલા ઊઠી ન શકે. મોડા ઊઠવું એટલે દરિયને નોતરવું. રાતે ખાનારને ખાવાની આગળ-પાછળ કરવી પડતી પ્રવૃત્તિઓમાં પણ અનેક જીવોનો વિનાશ થતો હોય છે. રાત્રે ખાવાનો ત્યાગ કરનારને આત્મિક લાભની સાથે શારીરિક પણ અનેક લાભો થાય છે. જઠારાગ્નિ શુદ્ધ અને પ્રદીપ્ત થાય છે. સૂર્ય અસ્ત થતાં જેમ કમળો મીંચાઈ જાય છે તેમ સૂર્ય અસ્ત થતાં હૃદયકમળ પણ સંકોચાય છે અને તેથી જઠર મંદ પડે છે. રાત્રે કોણ ખાય તેનો વિચાર કરવામાં આવે અને તે બધા ઘુવડ, બિલાડી, ઉંદર, રાક્ષસ, પશુ વગેરેની હારમાં જો ગણાવાની ઈચ્છા ન હોય તો રાત્રે ખાવાનું સત્વર બંધ કરવું જોઈએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142