Book Title: Hit shiksha Chattrisi
Author(s): Dharmdhurandharsuri
Publisher: Shrutprasarak Sabha

View full book text
Previous | Next

Page 115
________________ ૧૦૮ હિતશિક્ષા નિયમથી વંકચૂલ નામના એક મહાનું ચોરના પ્રાણ બચી ગયા હતા અને તેના સાથીદારોને તેવા પ્રકારનો નિયમ ન હોવાથી તેઓ જંગલનાં ઝેરી ફળો ખાઈને મરણ પામ્યા હતા. અજાણ્યા પાત્રમાં પણ ખાવું એ હિતકર નથી. ખાવાની ચીજની જેમ જેમાં ખાવાનું છે તે પાત્રની પવિત્રતા પણ જરૂરી છે. ગમે તેના ગમે તેવા વાસણમાં ખાવાથી મનમાં મલિનતા આવે છે. હોટલ વગેરેમાં સર્વસામાન્ય પાત્રો હોય છે, એટલે સભ્ય સમાજે તેમાં ખાવાનું છોડી દેવું એ વાજબી છે. અજાણી ધાતુઓના પાત્રનો ઉપયોગ પણ શારીરિક સ્થિતિને નબળી પાડનાર છે. સાત્ત્વિક આહાર સાત્ત્વિક પાત્રની પણ અપેક્ષા રાખે છે. [૧૧]. તુવંતી સ્ત્રીના પાત્રે જમવું નહિ- ઋતુવંતી, માસિક ધર્મને અનુભવતી સ્ત્રી જે પાત્રમાં ખાતી હોય તે પાત્રમાં પણ ભોજન ન કરવું. સ્ત્રીને ઋતુસ્ત્રાવ થાય છે ત્યારે કેટલાક એવા પુદ્ગલ-પરમાણુઓ તેની આસપાસના વાતાવરણમાં પ્રસરતા હોય છે કે જે અનેક પ્રકારે મનોવૃત્તિને મલિન કરનારા હોય છે. વિચારો ઉપર થતી આ સૂક્ષ્મ અસરો પૂલ જગતને જણાતી નથી અને તેથી એવા વ્યવહારો પ્રત્યે કેટલાક કેટલીક વખત ઉપેક્ષા કરે છે – પણ તેથી પરિણામે મોટા ગેરલાભ ઊપજે છે. | [૧૨] અજીર્ણ હોય ત્યારે જમવું નહિ – પહેલાં ખાધું હોય તે જ્યાં સુધી ન પચ્યું હોય ત્યાં સુધી ફરી ખાવું નહિ. અજીર્ણ હોય છતાં ખાવાથી અજીર્ણમાં વધારો થાય છે અને તેમાંથી અનેક રોગો જન્મે છે. રોગનું મૂળ અજીર્ણ છે. અજીર્ણપ્રભવા રોગા એ વૈદકશાસ્ત્રનું મુખ્ય વચન છે. વૈદકશાસ્ત્રનો ટૂંકમાં સાર કોઈ હોય તો જીર્ણો ભોજનમ્' – પ્રથમનું જરી જાય – પચી જાય પછી બીજું પેટમાં નાખવું એ છે. ઉપરાઉપરી ખા-ખા કરવાથી માંદગી ચાલુ રહે છે, એટલું જ નહિ, ખાવાના પદાર્થોનો સ્વાદ પણ માર્યો જાય છે. કેટલાકને ખાધું પચતું નથી તેમાં તેની હોજરીનો કે પાચનશક્તિનો વાંક નથી હોતો પણ પ્રથમનું જીર્ણ થયા વગર ખાવાની આદતને કારણે એમ બને છે. કેટલાક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142