Book Title: Hit shiksha Chattrisi
Author(s): Dharmdhurandharsuri
Publisher: Shrutprasarak Sabha

View full book text
Previous | Next

Page 106
________________ છત્રીશી: ૨૫-૨૬ ૯૯ તુચ્છ વસ્તુનો ત્યાગ કરવામાં આનંદ હોવો જોઈએ. તેમાં ખેદ કે દુઃખ ન થવું જોઈએ. ખેદ થાય તો દુઃખ આવે એ નિર્વિવાદ છે. અભિજ્ઞાનશાકુન્તલ નાટકમાં સાસરે જતી શકુંતલાને કણ્વઋષિએ આપેલી શિખામણો પણ ઉપરની શિખામણોને મળતી છે. કાલિદાસ વિના શબ્દોમાં તે નીચે પ્રમાણે છે. “શુકૂષશ્વ ગુરૂનું કુરુ પ્રયસખી-વૃત્તિ સપત્નીને, ભર્તુતિપ્રકૃતાપ રોષણતયા, મા સ્મ પ્રતીપ ગમઃ | ભૂયિષ્ઠ ભવ દક્ષિણા પરિજને, ભોગેશ્વનુત્યેકિની, યાત્વે ગૃહિણીપદ યુવતયો, વામા કુલસ્યાધયઃ | ૧ |" (૧) વડીલોની સેવા કરજે. (૨) શોક્યો પ્રત્યે સ્નેહાળ સખી જેવી ભાવના રાખજે, (૩) સ્વામી અપમાન કરે તો પણ ક્રોધથી વિપરીત વર્તન ન કરતી (૪) પરિવારમાં ખૂબ જ વિનમ્ર બનજે, (૫) ભોગની લાલસા ન રાખતી. આ પ્રમાણે વર્તન કેળવતી સ્ત્રીઓ ગૃહિણી” પદને પામે છે અને તેથી ઊલટું આચરણ કરતી સ્ત્રીઓ કુળમાં આધિ-પીડારૂપ થઈ પડે છે. ટૂંકમાં ગૃહિણીજીવનને ઉપયોગી આ પાંચ શિખામણોમાં ઘણી હકીકતોનો સમાવેશ થઈ જાય છે. | ગમે તેમ ગૃહિણી બનવું એ જુદી વાત છે; બાકી સાચું ગૃહિણીપદ મેળવવા માટે અને મળ્યા પછી દીપાવવા માટે જીવનને ઉપરની શિક્ષાઓથી શિક્ષિત કરવું અત્યંત જરૂરી છે. . ઇતિ સ્ત્રીજનોચિતશિક્ષાધિકાર: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142