SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ છત્રીશી: ૨૫-૨૬ ૯૯ તુચ્છ વસ્તુનો ત્યાગ કરવામાં આનંદ હોવો જોઈએ. તેમાં ખેદ કે દુઃખ ન થવું જોઈએ. ખેદ થાય તો દુઃખ આવે એ નિર્વિવાદ છે. અભિજ્ઞાનશાકુન્તલ નાટકમાં સાસરે જતી શકુંતલાને કણ્વઋષિએ આપેલી શિખામણો પણ ઉપરની શિખામણોને મળતી છે. કાલિદાસ વિના શબ્દોમાં તે નીચે પ્રમાણે છે. “શુકૂષશ્વ ગુરૂનું કુરુ પ્રયસખી-વૃત્તિ સપત્નીને, ભર્તુતિપ્રકૃતાપ રોષણતયા, મા સ્મ પ્રતીપ ગમઃ | ભૂયિષ્ઠ ભવ દક્ષિણા પરિજને, ભોગેશ્વનુત્યેકિની, યાત્વે ગૃહિણીપદ યુવતયો, વામા કુલસ્યાધયઃ | ૧ |" (૧) વડીલોની સેવા કરજે. (૨) શોક્યો પ્રત્યે સ્નેહાળ સખી જેવી ભાવના રાખજે, (૩) સ્વામી અપમાન કરે તો પણ ક્રોધથી વિપરીત વર્તન ન કરતી (૪) પરિવારમાં ખૂબ જ વિનમ્ર બનજે, (૫) ભોગની લાલસા ન રાખતી. આ પ્રમાણે વર્તન કેળવતી સ્ત્રીઓ ગૃહિણી” પદને પામે છે અને તેથી ઊલટું આચરણ કરતી સ્ત્રીઓ કુળમાં આધિ-પીડારૂપ થઈ પડે છે. ટૂંકમાં ગૃહિણીજીવનને ઉપયોગી આ પાંચ શિખામણોમાં ઘણી હકીકતોનો સમાવેશ થઈ જાય છે. | ગમે તેમ ગૃહિણી બનવું એ જુદી વાત છે; બાકી સાચું ગૃહિણીપદ મેળવવા માટે અને મળ્યા પછી દીપાવવા માટે જીવનને ઉપરની શિક્ષાઓથી શિક્ષિત કરવું અત્યંત જરૂરી છે. . ઇતિ સ્ત્રીજનોચિતશિક્ષાધિકાર: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005586
Book TitleHit shiksha Chattrisi
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherShrutprasarak Sabha
Publication Year2005
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy