________________
૯૮
સ્ત્રી પણ રોહકને સાચવવા લાગી.
આમ સાવકી-માના બાળક પ્રત્યેના સંબંધ સારા નથી હોતા, પણ એ વાજબી નથી. બીજી બાજુ કેટલીક સાવકી માતાઓ પોતાના બાળકની જેમ બીજીનાં બાળકોને વિશેષે સાચવે છે. સંસારમાં એવી ભલી સ્ત્રીઓ પણ હોય છે. ને તેવી સ્ત્રીઓ સદા સુખી હોય છે. તેનું અનુકરણ કરીને અન્ય સ્ત્રીઓએ પણ એ પ્રમાણે વર્તન કેળવવું જરૂરી છે.
જે બાળકને તેની માતા મૂકીને મરી ગઈ છે એ નમાયા બાળકને બીજી આવેલી સ્ત્રી એવી રીતે સાચવે કે તે બાળકને તેની માતા સાંભરે પણ નહિ. તે પોતાની સાવકી માને ખરી મા સમજે. એક જ ઘરમાં રહેવાનું અને જીવવાનું હોય તેમાં જો ભેદ-ભાવનાનાં ઘેરાં વાદળ ઘેરાતાં રહે તો તેમાંથી દુઃખનો જ વ૨સાદ વરસે, એટલે શોક્યનાં બાળકોને જોઈને ખેદ ન ધરવો, પણ તેને સુખ આપવું. ને તેની આશિષ મેળવવી.
[૧૯]
બાળકની ભક્તિ કરવી બાળકને ઉછેરીને મોટાં કરવાની મુખ્ય જવાબદારી સ્ત્રીને માથે હોય છે. જો સ્ત્રી ઐહિક અને દૈહિક સુખમાં લપટાઈ ગઈ હોય તો તેને પોતાનાં જન્મ આપેલાં બાળકો પણ કંટાળો ઉપજાવનારાં લાગે છે. પછી તે બાળકને મોટાં કરવાનું આવી પડ્યું હોય એટલે કરે પણ તેમાં ભલીવાર ન હોય. બાર વરસ સુધી બાળક નિર્દોષ છે. એટલે તેને દેવની પ્રતિમા જેમ સમજીને તેની ભક્તિ કરવી જોઈએ.
હિતશિક્ષા
-
Jain Education International
બાર વરસ સુધીની મર્યાદા કવિએ સ્વાભાવિક જણાવી છે. વ્યવહારમાં એ મર્યાદા પ્રચલિત છે. રેલવેમાં એ ઉંમર સુધી ટિકિટ લેવાની હોય છે. સુપ્રતિમાની ભક્તિ જેમ ફળે છે ને સુખ મળે છે તેમ બાર વરસ સુધીના બાળકની ભક્તિ પણ ફળે છે. જો બાળકને જોઈને ખેદ જાગે તો સમજવું કે દુઃખ આવવાનું છે. સ્ત્રીને બાળક થાય એટલે તેને સંયમી – ભોગોથી નિવૃત્ત થવું જરૂરી છે. એકસાથે ભોગ અને બાળઉછેર એ બે કાર્યો બની શકે એવાં નથી. બન્ને પરસ્પર વિરોધી છે. બન્ને કરનારી સ્ત્રીના એકે કાર્યમાં ભલીવા૨ હોતો નથી. બાળકની સેવા કરનારી સ્ત્રીએ સમજવું જોઈએ કે વાસના કરતાં શિશુની ઉપાસના અને વિષય કરતાં વાત્સલ્ય ઊંચાં છે. ઊંચી વસ્તુને માટે
For Personal & Private Use Only
www.jainelibrary.org