Book Title: Hit shiksha Chattrisi
Author(s): Dharmdhurandharsuri
Publisher: Shrutprasarak Sabha

View full book text
Previous | Next

Page 64
________________ ૨૭ છત્રીશી: ૧૪-૧૫ માટે જરૂરી ગણાએલી હકીકત છે. બાકી જેઓ તપસ્વી છે, તપસ્યાથી જેમનાં શરીર સ્વતઃ સંયમશુદ્ધ છે, દાંત વગરદાતણે નિર્મલ છે, તેઓને ઉપરની શિખામણ વ્યવહારમાં હોય તો પણ સ્વાભાવિક રીતે સિદ્ધ જ છે. તેઓને માટે લક્ષ્મીનો કોઈ પ્રશ્ન જ નથી. તેમનાં સૌભાગ્ય અને પુણ્ય એટલાં પ્રબળ હોય છે કે તેમને લક્ષ્મી કદી પણ છોડતી નથી. બાકી બીજાઓએ એવા તપસ્વીઓનું અનુકરણ ખોટું કરવું નહિ ને કાળજીપૂર્વક નાન-દાતણ કરવાં. [૫૩-૫૪]. બેઠાંબેઠાં ઘાસનાં તણખલાં તોડ્યા કરવાં નહિ. ભૂમિ પર ચીતર્યા કરવું નહિ – હાથમાં ઘાસની સળી લેવી અને તેને થોડો સમય રમાડીને તોડી નાખવી, વળી તેને તોડી નાખીને નાના-નાના ટુકડા કરીને ફેંકી દેવા. આ આદત ઘણી વખત કેટલાયમાં જોવામાં આવે છે. આ ટેવ સારી નથી, નકામી છે. નકામી ચેષ્ટાઓ કરવાથી ભાગ્ય ઘટે છે. નકામી ચેષ્ટઓ કરવી એ મૂર્ખતાનું લક્ષણ છે. તણખલાં તોડવા જેવી જ ટેવ જમીન ઉપર કાંઈ ને કાંઈ ચીતર્યા કરવાની ટેવ છે. એ ટેવ પણ નકામી છે. આવી નકામી ટેવો લક્ષ્મીવાળા માણસોને જરી પણ છાજતી નથી. લક્ષ્મીવાળાને કોઈ કાંઈ કહેતું નથી પણ આ ટેવો તેમની પ્રતિષ્ઠાને ઓછી કરે છે. પ્રતિષ્ઠા ઓછી થાય એ પણ એક રીતે લક્ષ્મી જ ઓછી થવા બરાબર છે – પછી ખરેખર લક્ષ્મી ઓછી થાય છે. નાગા સૂવું નહિ - જમીન ઉપર નાગા સૂવું એ અપલક્ષણ છે. દિગમ્બરને લક્ષ્મી ચાહતી નથી. નગ્ન સૂવાથી વીર્યશક્તિ ઉપર ધક્કો પહોંચે છે. ક્ષીણવીર્યવાળાની સ્મરણશક્તિ ઓછી થાય છે અને એ રીતે લક્ષ્મીની હાનિ થાય છે. એટલે તદ્દન નવસ્ત્રા સૂવું એ દુર્લક્ષણ દૂર કરવું જરૂરી છે. લક્ષ્મીની ઇચ્છાવાળાએ આ આઠે અપલક્ષણો છોડી દેવા જોઈએ. આ અપલક્ષણો જેવાં બીજાં પણ કેટલાંક અપલક્ષણો વ્યવહારમાં કહેવાય છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142