________________
૨૭
છત્રીશી: ૧૪-૧૫ માટે જરૂરી ગણાએલી હકીકત છે. બાકી જેઓ તપસ્વી છે, તપસ્યાથી જેમનાં શરીર સ્વતઃ સંયમશુદ્ધ છે, દાંત વગરદાતણે નિર્મલ છે, તેઓને ઉપરની શિખામણ વ્યવહારમાં હોય તો પણ સ્વાભાવિક રીતે સિદ્ધ જ છે.
તેઓને માટે લક્ષ્મીનો કોઈ પ્રશ્ન જ નથી. તેમનાં સૌભાગ્ય અને પુણ્ય એટલાં પ્રબળ હોય છે કે તેમને લક્ષ્મી કદી પણ છોડતી નથી. બાકી બીજાઓએ એવા તપસ્વીઓનું અનુકરણ ખોટું કરવું નહિ ને કાળજીપૂર્વક નાન-દાતણ કરવાં.
[૫૩-૫૪]. બેઠાંબેઠાં ઘાસનાં તણખલાં તોડ્યા કરવાં નહિ. ભૂમિ પર ચીતર્યા કરવું નહિ – હાથમાં ઘાસની સળી લેવી અને તેને થોડો સમય રમાડીને તોડી નાખવી, વળી તેને તોડી નાખીને નાના-નાના ટુકડા કરીને ફેંકી દેવા. આ આદત ઘણી વખત કેટલાયમાં જોવામાં આવે છે. આ ટેવ સારી નથી, નકામી છે. નકામી ચેષ્ટાઓ કરવાથી ભાગ્ય ઘટે છે. નકામી ચેષ્ટઓ કરવી એ મૂર્ખતાનું લક્ષણ છે. તણખલાં તોડવા જેવી જ ટેવ જમીન ઉપર કાંઈ ને કાંઈ ચીતર્યા કરવાની ટેવ છે. એ ટેવ પણ નકામી છે.
આવી નકામી ટેવો લક્ષ્મીવાળા માણસોને જરી પણ છાજતી નથી. લક્ષ્મીવાળાને કોઈ કાંઈ કહેતું નથી પણ આ ટેવો તેમની પ્રતિષ્ઠાને ઓછી કરે છે. પ્રતિષ્ઠા ઓછી થાય એ પણ એક રીતે લક્ષ્મી જ ઓછી થવા બરાબર છે – પછી ખરેખર લક્ષ્મી ઓછી થાય છે.
નાગા સૂવું નહિ - જમીન ઉપર નાગા સૂવું એ અપલક્ષણ છે. દિગમ્બરને લક્ષ્મી ચાહતી નથી. નગ્ન સૂવાથી વીર્યશક્તિ ઉપર ધક્કો પહોંચે છે. ક્ષીણવીર્યવાળાની સ્મરણશક્તિ ઓછી થાય છે અને એ રીતે લક્ષ્મીની હાનિ થાય છે. એટલે તદ્દન નવસ્ત્રા સૂવું એ દુર્લક્ષણ દૂર કરવું જરૂરી છે.
લક્ષ્મીની ઇચ્છાવાળાએ આ આઠે અપલક્ષણો છોડી દેવા જોઈએ. આ અપલક્ષણો જેવાં બીજાં પણ કેટલાંક અપલક્ષણો વ્યવહારમાં કહેવાય છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org