SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ હિતશિક્ષા જે અપલક્ષણો પ્રતિષ્ઠા ઓછી કરનારાં છે. તે બધાંનો ત્યાગ કરવો હિતકર છે. તેવાં કેટલાંક આ છે – ૧. નખ કરડવા. ૨. સાયંકાલે સૂઈ રહેવું. ૩. કૂલા કૂટવા. ૪. હોઠ બચકાવવા. ૫. દાંત વગાડવા. ૬. પીઠ ઉપર હાથના પંજાથી વગાડવું ઇત્યાદિ પણ અપલક્ષણ છે. તે દૂર કરવાં. ૫૮ પણ સંસ્કૃત શ્લોકમાં કેટલાંએક અપલક્ષણો લક્ષ્મીનો નાશ કરનારાં ગણાવ્યાં છે, તે આ પ્રમાણે - નિત્યં છેદસ્તુણાનાં રક્ષિતિનખલિખને પાદર્યોરલ્યપૂજા, દંતાનામવ્પશૌચં પવસનમલિનતા રૂક્ષતા મૂર્ખજાનામ્ । દ્વે સંધ્યે ચાપિ નિદ્રા વિવસનશયન દર્શન વારિમધ્યે, ૧૦સ્વીયે પીઠે ચ વાદ્ય હરતિ ધનપતેઃ કેશવસ્યાપિ લક્ષ્મીમ્ || ૧ ||” આ શ્લોકમાં તણખલાં તોડવાં, નખથી જમીન ખોતરવી, પગ-ઘસવા, દાંત મેલા રાખવા, વસ્ત્ર ગંદાં રાખવાં, વાળ બરછટ રાખવા, સાયંકાળે સૂઈ રહેવું, નાગા સૂવું. પોતાની પીઠ વગાડવી એ, દશ લક્ષ્મીના પતિ કેશવની સંપત્તિને પણ હરી જાય છે, એમ કહ્યું છે. હિતશિક્ષાકારે અઢાર કડીઓમાં પુરુષને મુખ્ય રાખીને શિખામણો આપી છે. તેમાં છેલ્લી ત્રણ કડીઓમાં કેટલીક આવશ્યક શિખામણો આપીને પુરુષોને અંગેની શિખામણોનો અધિકાર શિક્ષાકાર સમાપ્ત કરે છે. તે શિક્ષાઓ આ પ્રમાણે છે. ૧૬-૧૭-૧૮| માતાચરણે શિશ નમાવી, બાપને કરીય પ્રણામો જી; દેવગુરુને વિધિએ વાંદી, કરે સંસારનાં કામો. ૧૬ Jain Education International બે હાથે માથું નવિ ખણીએ, કાન નિત ખોતરીએજી; ઊભા કેડે હાથ ન દીજે, સામે પૂરે ન તરીએ. ૧૭ સુણજો સજ્જન રે. For Personal & Private Use Only સુણજો સજ્જન રે. www.jainelibrary.org
SR No.005586
Book TitleHit shiksha Chattrisi
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherShrutprasarak Sabha
Publication Year2005
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy