SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ છત્રીશી: ૧૬-૧૨૧૮ ૫૯ તેલ તમાકુ દૂરે તજીએ, અણગળ જળ નવિ પીરેજી; કુલવતી સતીને શિખામણ, હવે નરભેળી દીજે ૧૮ સુણજો સજજન રે. . (૧) માતાને પાય પડીને અને પિતાને પ્રણામ કરીને પછી બીજાં કાર્ય કરવાં. (ર) સંસારનાં કામોમાં જોડાતાં પહેલાં દેવગુરુને વિધિપૂર્વક વંદન કરવું. (૩) બે હાથે માથું ખણવું નહિ. (૪) કાન ખોતરવા નહિ. (૫) કેડે હાથ દઈને ઊભું રહેવું નહિ. (૬) સામે પૂરે તરવું નહિ. (૭) તેલ - તમાકુનો ત્યાગ કરવો. (૮) અણગળ પાણી પીવું નહિ. [૫૬] માતા-પિતાને પ્રણામ કરવા - જો તમે સારા ગણાવા ઇચ્છતા હો, તમે કૃતજ્ઞ હો તો સવારમાં ઊઠીને બીજાં કોઈ પણ કામ કરતાં પહેલાં માતા અને પિતાને પ્રણામ કરો, પાયે લાગો. માનવજીવનના ઘડતરમાં માતાનો ફાળો કાંઈ નાનોસૂનો નથી. જીવનની એકડે એકથી શરૂઆત માતાથી થાય છે. કદાચ કોઈ માતા બાળકને જન્મ દઈને અવસાન પામી જાય એમ બને પણ ગર્ભમાં નવ માસ સુધી તો પોષણ આપ્યા વગર ચાલતું જ નથી. ગર્ભમાં પણ બાળકને સારા-નરસા સંસ્કારો પડે છે ને પોષાય છે. જો માતા પોતાના જીવનના સારા સંસ્કારો સાચવે નહિ તો ગર્ભમાં રહેલ બાળક પણ તેવો સંસ્કારવિહીન બને છે. આરોગ્યશાસ્ત્ર તો ગર્ભવતીનાં ખાન-પાન, હલન-ચલન વગેરે ઉપર ખૂબ ભાર મૂક્યો છે. જો ગર્ભવતી ઉચિત નિયમો ન જાળવે તો તેની અસર ગર્ભમાં રહેલ બાળક ઉપર પડે છે અને તે અસર જીવનભર કાયમ રહે છે. જન્મ પછી બાળક પગભર ન થાય ત્યાં સુધી તે મોટે ભાગે માતાના સહવાસમાં રહે છે. માતાના સંસ્કારોની અસર બાળક ઉપર ગંભીર પહોંચે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005586
Book TitleHit shiksha Chattrisi
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherShrutprasarak Sabha
Publication Year2005
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy