________________
હિતશિક્ષા
માનવમાં સારા સંસ્કારો ખીલ્યા હોય તો તેણે સૌથી પ્રથમ માતાનો ઉપકાર માનવો જોઈએ. એ ઉપકાર ભુલાય નહિ માટે પ્રાતઃકાલમાં પ્રથમ માતાને નમસ્કાર કરવા જોઈએ.
એક ચોર ચોરી કરતાં પકડાઈ ગયો ને તેને શૂળીની શિક્ષા મળી. શૂળી ૫ર ચડાવતાં પહેલાં તેને પૂછવામાં આવ્યું કે તારે કાંઈ ઇચ્છા છે?” ચોરે પોતાની માતાને મળવાની ઇચ્છા બતાવી. તેની માતાને ત્યાં બોલાવવામાં આવી. બધાનું ધારવું હતું કે ચોર પોતાની માતાને ભેટી પડશે, મા-દીકરો ખૂબ રોશે ને કેમે કરીને છૂટાં નહિ પડે. પણ લોકોનું ધારવું ચોરે એક જ ક્ષણમાં જૂઠું પાડ્યું. પોતાની માતા આવી કે તરત જ ત્યાં જઈને દાઝપૂર્વક ચોરે પોતાની માતાનું નાક કરડી ખાધું. લોકો ચોર પર ખૂબ ચિડાયા ત્યારે ચોરે કહ્યું કે ‘આજ હું જે શૂળી ઉપર ચડું છું, – તે સર્વ પ્રતાપ મારી માનો છે. હું નાનો હતો, તદ્દન નાનો હતો ત્યારે અમારા ઘરની સામે એક તલની વખાર હતી. મારી મા મને નવરાવતી ને ભીને શરીરે હું તલની વખારમાં દોડી જતો ત્યાં જઈને તલમાં આળોટીને ઘ૨માં દોડી આવતો. મારી મા મારા શરીર ઉપરથી તલ ઉખેડી લેતી – ખંખેરી નાખતી અને તેની તલસાંકળી કરીને મને ખવરાવતી. ચોરી કરવાના આ પ્રથમ સંસ્કાર મારા મનમાં પડ્યા અને વય વધવાની સાથે તે પણ વધવા લાગ્યા. જો મને પ્રથમથી જ વાર્યો હોત તો આજ મારે જે શૂળી પર ચડવું પડે છે, તે વખત ન આવત.’
આ વાત જરા જુદી છે. અપકારી માતાની વાત છે. માતાને નમસ્કાર કરવા માટે આ વાત એટલા માટે જરૂરી છે કે જીવનમાં સારા સંસ્કારો જે કાંઈ આવ્યા હોય છે તે ઉપકાર પ્રથમ માતાનો છે. એવી સંસ્કારી માતાઓને નમસ્કાર કરવાથી જીવન નિર્મળ અને કૃતજ્ઞ બને છે.
માતાને પગે મારતા પુત્રોને માતાને પગે પડવાની વાત જરા આકરી લાગશે પણ એ વગર તેમનો ઉદ્ધાર નથી. બાકી જેઓ માતાને પગે લાગતાં શરમાય છે, તેઓની પાસે સંપત્તિ અને ઉતિ આવતાં પણ શરમાય છે.
માતાની જેમ પિતાને પણ પ્રથમ પ્રણામ કરીને પછી બીજાં કાર્યો કરવાં. સંસ્કારના ઘડતરમાં પિતાનો પણ પૂરો હિસ્સો છે. પોતાના સંસ્કારો પિતાને આભારી છે એટલું સમજાઈ જાય તો પિતાને પ્રણામ કરતાં સંકોચ નહિ થાય. ઇતિહાસને પાને એવાં પણ દૃષ્ટાંતો નોંધાયાં છે કે જેઓ મહાન્ પદ
§0
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org