________________
- ૫૬
હિતશિક્ષા
તો દાંત અને મોટું ગંધાય. ગૃહસ્થાશ્રમમાં રહેતા દરેક આ પ્રમાણે જણાવશે. હવે સ્વચ્છતા માટે કરવામાં આવતાં સ્નાન અને દાતણ એમ ને એમ પાણી ઢોળી નાખવામાં આવે તો સફળ થતાં નથી. જે પ્રયોજન સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરવામાં આવે છે તે પ્રયત્ન એવો કરવો જોઈએ કે જેથી કાર્યની સિદ્ધિ થાય. ઉતાવળે-ઉપેક્ષાવૃત્તિથી – જેમતેમ કાર્યો કરવાથી મનમાં જડતા પેસે છે; કાર્યસિદ્ધિ થતી નથી. ઊલટું, સ્નાન અને દાતણ જેમતેમ પતાવી દેવાથી શરીર અને દાંત ઉપર જામેલી ગંદકી ધીરે ધીરે આગળ વધતી મનમાં સ્થાન જમાવવા ઇચ્છે છે અને માણસને અપ્રતિષ્ઠિત કરે છે. અપ્રતિષ્ઠા લક્ષ્મીને ટકવા દેતી નથી.
એક રાજાને એક પંડિતે કયા કાર્યમાં ઉતાવળ કરવી અને કયા કાર્યમાં ઉતાવળ ન કરવી એ વાત સમજાવતાં એક શ્લોકમાં જણાવ્યું કે
‘ચિર દતે ચિર કેશે, ચિર મૂત્રપુરીષયો;
મા ચિર કુરુ રાજેન્દ્રા ભોજને શયને રણે.” / ૧ I દાંત ચોખા કરવામાં, કેશ સંસ્કારવામાં, મળ-મૂત્રના વિસર્જન કરવામાં હે રાજેન્દ્રા ઉતાવળ કરતો નહિ – વાર કરજે, પણ ભોજન કરવામાં અને લડાઈમાં વાર ન કરતો.
આ શ્લોકમાં દાંત અને કેશ એ બેથી સ્નાન અને દાતણ સારી રીતે - ધીરજથી કરવા કહ્યું છે.
સ્નાન કરવાથી સારી રીતે સ્નાન કરવાથી શરીરમાં ફૂર્તિ આવે. ફૂર્તિથી આળસ ઊડી જાય. આળસ દૂર થાય એટલે ઉદ્યમ કરવામાં ઉત્સાહ વધે ને એ રીતે લક્ષ્મી પ્રાપ્ત થાય ને સ્થિર થાય. સ્નાન કરવાનો જેને નિષેધ છે તેની વાત જુદી છે, પણ જેઓ ગૃહસ્થ છે-સ્નાન કરે છે તેઓ એમ ને એમ પાણી ઢોળી નાખે, બેકાળજીથી શરીર અડધુંયે સ્વચ્છ ન કરે એ વાજબી નથી – તદ્દન ગેરવાજબી છે.
એ પ્રમાણે જેઓ સારી રીતે દાતણ નથી કરતા તેઓ જતે કાળે દાંતના રોગોથી પીડાય છે. તેમાંથી પેટના રોગો થાય છે. રોગી આત્માઓ પાસેથી ધીરે ધીરે લક્ષ્મી ચાલતી પકડે છે.
શરીર સ્વચ્છ અને દાંત ચોખા એ બે વ્યવહારમાં રહેતા આત્માઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org