________________
છત્રીશી: ૧૪-૧૫
૫૫
લક્ષ્મી હજામને ઘેર જઈને માથું મૂંડાવનારને છોડી દે છે એ પ્રમાણે કવિ શિક્ષા આપે છે, પણ તેનું ખરું રહસ્ય તો એ છે કે – જેને લક્ષ્મીએ છોડી દીધા હોય તેઓ જ હજામને ઘેર જઈને માથું મૂંડાવતા હોય છે. એટલે લક્ષ્મીની સાથે સગાઈ ઇચ્છનારે વદન અને મસ્તકના સંસ્કાર ક્યાં ને કેવી રીતે કરાવવા તેની કાળજી રાખવી જરૂરી છે.
હજામને ત્યાં જઈને હજામત કરાવવામાં એક જોખમ એ પણ રહે છે કે – કદાચ ત્યાં તે હજામ બેધ્યાન બની જાય તો તેનાં તીવ્ર શસ્ત્ર હજામત કરાવનારને ઠીક ઠીક ઈજા પહોંચાડી દે, એ પ્રમાણે સામે આવતા હજામમાં બનવાનો સંભવ ઓછો છે. કોઈની ચડામણીથી કે તુચ્છ જાત હોવાથી. કોઈ વૈરવૃત્તિથી કોઈનું કાસળ કાઢી નાખવું હોય તો તે પણ હજામ પોતાને ઘેર કરી શકે છે – પણ બીજે ન કરી શકે – કરતાં ડરે.
હજામને ઘેર જઈને માથું મૂંડાવવું નહિ, એ શિખામણ ખરેખર લક્ષ્મીના સંરક્ષણ માટે સચોટ છે.
[૫૨]. પાણીમાં મુખ જોવું નહિ – પાણીમાં પ્રતિબિમ્બ બરાબર હોતાં નથી. એટલે તેમાં પડતું પ્રતિબિમ્બ પણ સ્થિર ન હોય. પોતાનાં અસ્થિર પ્રતિબિમ્બ જોવાથી મનમાં વિચિત્ર લાગણીઓ જાગે છે. એ લાગણીઓ ઊંચા પ્રકારની નથી હોતી પણ હલકા પ્રકારની હોય છે. હલકા પ્રકારની લાગણીઓ ભાગ્યને ઓછું કરે છે ને ભાગ્ય ઘટવાથી લક્ષ્મી ઘટે છે.
પાણીમાં મોઢું જોવાથી-વારંવાર એ પ્રમાણે કરવાથી કેટલાક ચક્રમ-ગાંડા બની ગયાનું પણ સંભળાય છે. પાણીમાં મોટું ન જોવું એ પ્રમાણે દર્પણમાં પણ રાતે મોટું ન જોવું - દર્પણમાં જોઈને આડાઅવળા ચેનચાળા ન કરવાએ શ્રીના સંરક્ષણ માટે આવશ્યક છે.
[૫૩] સ્નાન અને દાતણ સુંદર કરવાં – સ્નાન કરવાની જરૂર શું છે? અને દાતણ કરવાની જરૂર શું છે? એમ કોઈને પણ પૂછવામાં આવે તો તે કહેશે કે – સ્વચ્છતા માટે. સ્નાન ન કરીએ તો ગંદા દેખાઈએ; દાતણ ન કરીએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org