Book Title: Hit shiksha Chattrisi
Author(s): Dharmdhurandharsuri
Publisher: Shrutprasarak Sabha

View full book text
Previous | Next

Page 12
________________ છત્રીશી: ૨ સંસ્કારો આવતાં જેટલી વાર લાગે છે તે કરતાં ખરાબ માણસોના સંસર્ગથી ખરાબ સંસ્કારો આવતાં ઘણી જ ઓછી વાર લાગે છે, એટલે ખરાબ સંસર્ગ ન કરવો એ અતિ જરૂરી છે. અહીં છત્રીશીકાર એવા સાતનો સંસર્ગ ન કરવા કહે છે. મૂરખ બાલક જાચક વ્યસની, કારુ ને વળી નારુજી; જો સંસારે સદા સુખ વછો તો, ચોરની સંગત વારુ. ૨ સુણજો સજ્જન રે. આ કડીમાં એક રીતે એક શિખામણ છે અને બીજી રીતે સાત શિખામણો છે. મૂર્ખ, બાળ, યાચક, વ્યસની, કારુ શિલ્પી), નારુ (વસવાયા) અને ચોર, એ સાતની સંગત ન કરવી – એમ એક શિખામણ છે. અને ૧-મૂર્ખની સંગત ન કરવી. ર-બાળકની સંગત ન કરવી. એ પ્રમાણે દરેકને છૂટા પાડીએ તો સાત શિખામણો થાય છે. અહીં સાત શિખામણો ગણીને સમજાવવામાં આવે છે. [૪] મૂર્ખની સંગત ન કરવી – મૂર્ખની સંગત કરવાથી બુદ્ધિ ઘટે છે. બુદ્ધિના ઘટવા-વધવા માટે કહ્યું છે કે – “મતિસુ હીયતે તાતા હીનૈઃ સહ સમાગમા ! . સમૈશ સમતામતિ, વિશિષ્ટ વિશિષ્ટતામુ I” હે તાત! ભાઈ! હીન માણસો સાથે સમાગમ કરવાથી મતિ-બુદ્ધિ ઘટે છે – હલકી થાય છે, સરસા સાથેની સોબતથી હોય એવી ને એવી જ રહે છે અને વિશિષ્ટ માણસોના સંગથી વિશિષ્ટ બને છે. મૂર્ખ માણસો ગમે તેટલું કરીએ તો પણ જોઈએ તેવા સુધરતા નથી, એમની એવી – ખેદજનક પ્રવૃત્તિઓ અટકાવી અટકી શકતી નથી, એટલે જ છેવટે નીતિકારોને કહેવું પડ્યું કે “મૂર્ખજીંદાનુરોધેન મૂર્ખને રાજી રાખવા માટે તે જેમ કરે તેમ કરવા દેવું, એટલે તેના સંસર્ગથી યથાછંદ પ્રવૃત્તિઓના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 142