Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 46
________________ અહિંસાની પ્રભાવકતા લે. ડો. નલિની શાહ - ભગવાન મહાવીરે ‘શ્રી આચારાંગ સૂત્ર’માં અહિંસા વિશે કહ્યું છે કે “વયં પુળ વમાસ્લામો, વં માસામો, વં પુરુવેનો, છ્યું પળવેમો, સવ્વુ પાળા, સવ્વ મૂયા, સવ્વ નીવા, સવ્વ સત્તા, ન મંતવ્યા, ન અપ્નાવેયવ્યા, ન પશ્વેિતત્વા, ૧ પરિયાવેયા, ન ઘેયા । સ્થં विजाणर नत्थित्थ दोसो । आरियवयणमेयं ।” (શ્રી આચારાંગ સૂત્ર, ૧-૪-૨) કોઈ પણ પ્રાણી, કોઈ પણ ભૂત, કોઈ પણ જીવ, કોઈ પણ સત્ત્વને ક્યારે ય પણ હણવા ન જોઈએ. તેમની પર અધિકાર જમાવવો ન જોઈએ, તેમની પર આઘાત કરવો નહિ. તેમને પરિતાપ આપવો નહિ કે તેમને કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ પહોંચાડવો નહિ. એ સારી રીતે જાણી લો કે આ અહિંસાધર્મમાં કોઈ પણ પ્રકારનો દોષ નથી. વસ્તુતઃ અહિંસા એ આર્યધર્મ છે. અહિંસા એ પવિત્ર ધર્મ છે. હિંદુ ધર્મમાં મહાભારતમાં પણ અહિંસાને અહિંસા પરમો ધર્મ’ બતાવ્યો છે. જ્યારે ‘યોગ ભાષ્ય'માં પણ અહિંસા વિશે કહ્યું છે કે - “सर्वताः सर्वदा सर्वभूतानाम् अनभिद्रोहः ।” ‘પુરુષાર્થ સિદ્ધયુપાય’ના ૪૭મા શ્લોકમાં શ્રી અમૃતચંદ્રાચાર્યે પણ રાગ-દ્વેષને ભાવહિંસા કહી છે - यस्मात्स कषायः सन् हन्त्यात्मा प्रथमम आत्मन् आत्मानम् । पश्चाज्जायेत न वा हिंसा प्राणयन्तराणां તુ ॥૪॥ હિંસા બે પ્રકારની હોય છે એક આત્મઘાત અને બીજી પરઘાત. જ્યારે આત્મામાં કષાયભાવો ઉત્પન્ન થાય છે ત્યારે જ આત્મઘાત થઈ જાય છે. પછી પરઘાત થાય કે ન થાય, પણ આત્મઘાત તો ચોક્કસ થઈ જાય છે. - આજે દુનિયામાં જ્યાં જુઓ ત્યાં હિંસાનું વાતાવરણ સર્જાયેલું છે. કુદરતી હોનારતોથી મનુષ્યની જાનહાનિ નિવારી શકાતી નથી ને આજે જ્ઞાનધારા -૫૩ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૫

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134